365 દિવસ બાદ માલવ્ય રાજયોગ બનશે, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અપાર વધારો, વૈભવના દાતાની રહેશે કૃપા

Mon, 12 Aug 2024-3:38 pm,

વૈભવના દાતા શુક્ર એક ચોક્કસ સમય બાદ ગોચર કરે છે. તેવામાં કોઈને કોઈ પ્રકારના રાજયોગનું નિર્માણ જરૂર થાય છે. વૈદિક જ્યોતિષમાં 5 મહાપુરૂષ રાજયોગનો ઉલ્લેખ છે. જેની અમે અહીં વાત કરી રહ્યાં છીએ. માલવ્ય રાજયોગ વિશે, જેનું નિર્માણ વૈભવના દાતા શુક્ર કરે છે. તમને જણાવી દઈએ કે ધનના દાતા શુક્ર ગ્રહ સપ્ટેમ્બરમાં પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તો આ રાજયોગનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 

તમારા લોકો માટે માલવ્ય રાજયોગ લાભયાદક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે આ યોગના પ્રભાવથી તમને દરેક કામમાં સફળતા મળશે અને તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને તમને કેટલીક નવી જવાબદારી મળી શકે છે. આ સમયે વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. આ સમયે તમને વાહન અને પ્રોપર્ટીનું સુખ મળી શકે છે. આ દરમિયાન તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે.

માલવ્ય રાજયોગ બનવાથી તમારા લોકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના દશમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમને કમાણી કરવાની ઘણી તક મળશે. નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. જે વેપારી વર્ગ છે તેને નવા ઓર્ડર મળી શકે છે અને સારો ધનલાભ થઈ શકે છે. આ સમયમાં તમારા માટે ધનલાભનો યોગ બની રહ્યો છે અને તમારી આવકમાં વધારો થશે. આ સમયે તમારા પિતા સાથેના સંબંધો મજબૂત થશે. સાથે કરિયરમાં પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તો બેરોજગાર લોકોને નવી નોકરીની તક મળી શકે છે. 

તમારા માટે માલવ્ય રાજયોગનું નિર્માણ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી નવ ભાવમાં ગોચર કરી રહ્યાં છે. તેથી આ સમયે તમારો ભાગ્યોદય થઈ શકે છે. સાથે કારોબારમાં આવકના નવા માર્ગ ખુલશે અને નોકરીમાં પગાર વધારા સાથે પ્રમોશન મળી શકે છે. આ દરમિયાન તમે કામ-કારોબારના સંબંધમાં યાત્રાઓ કરી શકો છો. જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેનું સપનું પૂરુ થઈ શકે છે. આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link