Vastu Tips: આજે માતા લક્ષ્મીને પૂજામાં ચઢાવો આ ફૂલ, મળશે ધનવાન બનવાના આર્શિવાદ

Fri, 25 Aug 2023-10:57 am,

હિંદુ માન્યતાઓ અનુસાર, કોઈને કોઈ ફૂલ ખાસ કરીને દરેક ભગવાનને પ્રિય હોય છે. મંદિરમાં કે ઘરમાં કોઈ પણ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે તો તેમના મનપસંદ ફૂલ ચઢાવીને તેમની પૂજા કરવામાં આવે તો તેઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જાસૂદ એક એવું ફૂલ છે, જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. એવું માનવામાં આવે છે કે આ ફૂલ ઘરમાં ખુશહાલી લાવે છે અને વ્યક્તિની સમસ્યાઓ દૂર કરે છે.  

વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ ઈચ્છે છે કે દેવી લક્ષ્મીની કૃપા તેના પર રહે તો ઘરની પૂર્વ દિશામાં જાસૂદનો છોડ લગાવો. તેની સાથે આ દિશા જીવનમાં સમૃદ્ધિ જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

જો તમે હનુમાનજીની કૃપા પોતાના પર બનાવી રાખવા માંગતા હોવ તો મંગળવારે મંદિરમાં તેમને જાસૂદનું ફૂલ ચઢાવો. આમાંથી એક ફૂલ ઘરની તિજોરીમાં રાખવાથી જીવનમાં હંમેશા સમૃદ્ધિ આવે છે.

લાલ કે પીળા જાસૂદના ફૂલનો છોડ ઘરમાં સકારાત્મકતા લાવવામાં મદદ કરે છે. તેને ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં મૂકી શકાય છે. આ છોડ વ્યક્તિનો ઉત્સાહ વધારવા અને સારા સૌભાગ્ય લાવવામાં મદદ કરે છે.

જો વ્યક્તિના હાથમાં પૈસા ટકતા નથી, ફાલતૂ કામમાં વેડફાય જાય છે તો વાસ્તુ અનુસાર બતાવવામાં આવેલા આ ઉપાયો અપનાવો. તેના માટે શુક્રવારે દેવી લક્ષ્મીને જાસૂદનું ફૂલ ચઢાવો. તેનાથી ખર્ચ પર અંકુશ તો આવશે જ સાથે સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link