શું તમે પણ આખી-આખી રાત ફોન મુકી રાખો છો ચાર્જિંગમાં? જાણી લેજો સાઈટ ઈફેક્ટ

Mon, 07 Oct 2024-4:36 pm,

ફોનને ફુલ ચાર્જ કર્યા પછી પણ તેને ચાર્જ કરતો રાખવાથી બેટરીની આવરદા ઘટી શકે છે. આ ઉપરાંત, તે ઓવરહિટીંગની સમસ્યા પણ પેદા કરી શકે છે. ફોનને લાંબા સમય સુધી ચાર્જર સાથે કનેક્ટ રાખવાથી ગરમી વધી શકે છે, જેનાથી બેટરી અને ફોનના અન્ય ભાગોને નુકસાન થઈ શકે છે.

 

દર વખતે જ્યારે તમે તમારી બેટરીને સંપૂર્ણપણે ચાર્જ કરો અને પછી તેને ડિસ્ચાર્જ કરો, તે બેટરી ચક્ર છે. વધુ પડતી બેટરી સાયકલ બેટરીની ક્ષમતા ઘટાડી શકે છે.

 

સ્માર્ટફોનની બેટરીને 80% સુધી ચાર્જ કરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી બેટરી લાઈફ સારી રહે છે. ઉપરાંત, ફોનને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ ન થવા દો. જ્યારે બેટરી 20% પર રહે છે, ત્યારે તેને ચાર્જિંગ પર મૂકો.

 

ફોનને આખી રાત ચાર્જર પર રાખવાનું ટાળો. તેનાથી ફોનની બેટરી લાઈફ પર ખરાબ અસર પડે છે. આ ઉપરાંત સારી ગુણવત્તાના ચાર્જરનો ઉપયોગ કરો. હંમેશા તમારા ફોન સાથે આવેલા અસલ ચાર્જરનો ઉપયોગ કરો.

 

એ પણ ધ્યાનમાં રાખો કે ફોનને ગરમ જગ્યાએ રાખીને ચાર્જ ન કરો. ફોનને સૂર્યપ્રકાશમાં એટલેકે, તડકામાં રાખીને ચાર્જ કરવાનું ટાળો. જેના કારણે ફોન ગરમ થઈ શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link