Asia Cup 2023: એક મેચમાં પાંચ ટર્નિંગ પોઈન્ટ! જો એક પણ વસ્તુ આઘી પાછી થાત તો ભારત હારી જાત

Wed, 13 Sep 2023-9:51 am,

રોહિત શર્માએ આ મેચમાં શ્રીલંકા સામે 48 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્માની વિસ્ફોટક ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સ સામેલ હતી. ખરા અર્થમાં રોહિત શર્માએ મહત્વની ક્ષણે આ અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો હતો. જો રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો હોત તો ભારતનો દાવ 150 રન સુધી સમેટાઈ શક્યો હોત.

એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 91 રનમાં 3 વિકેટે હતો. તે નિર્ણાયક ક્ષણે, કેએલ રાહુલ અને ઇશાન કિશને મળીને ચોથી વિકેટ માટે 63 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. પાકિસ્તાન સામે અણનમ સદી રમનાર કેએલ રાહુલ (39) અને ઈશાન કિશન (33)એ શ્રીલંકા સામે ચોથી વિકેટ માટે 89 બોલમાં 63 રનની ભાગીદારી કરીને મેચમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો.

નીચલા ક્રમમાં અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગ પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. અક્ષર પટેલે 36 બોલમાં 26 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અક્ષર પટેલે આ દરમિયાન 1 સિક્સ ફટકારી હતી. અક્ષર પટેલે પોતાની શાનદાર બેટિંગથી ટીમ ઈન્ડિયાનો સ્કોર 213 રન સુધી પહોંચાડ્યો હતો.

જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગ ટીમ ઈન્ડિયાની જીતમાં ટર્નિંગ પોઈંટ સાબિત થઈ. શ્રીલંકા વિરૂદ્ધ જસપ્રીત બુમરાહે 2 અને રવિન્દ્ર જાડેજાએ પણ 2 વિકેટ ઝડપી હતી.

કુલદીપ યાદવે શ્રીલંકા સામે ખતરનાક બોલિંગ કરી હતી અને 9.3 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવના આ ખતરનાક સ્પેલ વિના ભારત માટે જીતવું શક્ય નહોતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link