Roti In Breakfast: સવારે નાસ્તામાં આ રોટલી ખાશો તો આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Wed, 29 May 2024-7:12 pm,

સુગર કંટ્રોલ કરવા માટે વાસી રોટલીનું સેવન કરી શકાય છે. તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે સુગરના અવશોષણને ઘટાડે છે. સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહી શકે છે. 

દૂધમાં વાસી રોટલી ઉમેરીને ખાવાથી શરીરને ઠંડક મળે છે. માનવામાં આવે છે કે ઉનાળા દરમિયાન આ નાસ્તો કરવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. ઉનાળામાં વાસી રોટલી અને દૂધનું સેવન પેટને ઠંડક કરે છે.

સવારે ઠંડા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી બ્લડપ્રેશરની સમસ્યામાં પણ ફાયદો થઈ શકે છે. રોટલી ને દૂધમાં 10 મિનિટ માટે પલાળી નાસ્તામાં ખાવી જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. 

ડાયાબિટીસ હોય તેમણે વાસી રોટલીને સવારે નાસ્તામાં દૂધ સાથે ખાવી જોઈએ. નિયમિત રીતે આ વસ્તુ ખાવાથી થોડા દિવસમાં ફાયદો દેખાવા લાગશે. 

વાસી રોટલી ખાવી તેનો મતલબ એ નથી કે બે દિવસ જુની રોટલી ખાવી. જો સવારે નાસ્તામાં ઠંડી રોટલી ખાવી હોય તો તે 15 કલાકથી વધારે સમયથી સ્ટોર કરેલી ન હોવી જોઈએ. એટલે કે રાત્રે બનાવેલી રોટલી સવારે નાસ્તામાં ખાઈ શકાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link