SBI ના કરોડો ગ્રાહકોનું ચમકી જશે ભાગ્ય, હવે મળશે 9 લાખ રૂપિયા, બેન્કે આપી જાણકારી!

Mon, 02 Jan 2023-10:55 pm,

દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ કરોડો ગ્રાહકોને મોટો ફાયદો આપી રહી છે. બેન્ક તરફથી ગ્રાહકોને 9 લાખ રૂપિયાનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. 

ઘણીવાર એમ થાય છે કે આપણે કોઈ બિઝનેસ શરૂ કરવો છે કે પછી લોનની જરૂર છે તો તમને બેન્ક તમને કોઈ પૂરાવા વગર 50 હજારથી લઈને 9 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે.   

તમે એસબીઆઈ મુદ્રા લોન દ્વારા આ પૈસા લઈ શકો છો. આ લોન લેવા માટે તમારે માત્ર આધાર કાર્ડની જરૂર પડશે. આ સાથે તમારુ આધાર કાર્ડ મોબાઇલ નંબરથી લિંક થવું જોઈએ, જેનાથી વેરિફિકેશનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય.

તમે બેન્કની સત્તાવાર વેબસાઇટ દ્વારા તેમાં અરજી કરી શકો છો. તેમાં હોમ પેજ પર તમારે ઈ-મુદ્રા લોનવાળા ઓપ્શન પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ આગળની પ્રક્રિયા કરી તમે લોન માટે અરજી કરી શકો છો. 

  દેશભરમાં બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે અને સ્ટાર્ટઅપ માટે સરકાર અને બેન્ક તરફથી લોનની સુવિધા આપવામાં આવી રહી છે, જેનાથી દરેક સરળતાથી પોતાનો બિઝનેસ શરૂ કરી શકે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link