12 વર્ષ બાદ સૂર્ય અને ગુરૂની યુતિ બનવાથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, મળશે નવી નોકરી, ધનલાભનો યોગ

Thu, 21 Mar 2024-3:47 pm,

 વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર પોતાના મિત્ર ગ્રહોની સાથે યુતિ બનાવે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે 13 એપ્રિલે ગ્રહોના રાજા સૂર્ય દેવ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી ગુરૂ બૃહસ્પતિ બિરાજમાન છે. તેવામાં 13 વર્ષ બાદ ગુરૂ અને સૂર્યની યુતિ મેષ રાશિમાં બનવા જઈ રહી છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.   

તમારા માટે સૂર્ય અને ગુરૂની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે નોકરી કરનાર જાતકોને નવી તક મળશે અને કામના સિલસિલામાં વિદેશ જવાની તક પણ મળી શકે છે. તો વેપારીઓ આ સમયમાં કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકે છે. તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે અને તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત મળી શકે છે. સાથે રોકાણથી લાભનો યોગ બની રહ્યો છે.   

સૂર્ય અને ગુરૂની યુતિ કર્ક રાશિના જાતકો માટે શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી કરિયર અને કારોબાર ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને કામ-કારોબારમાં શાનદાર સફળતા મળી શકે છે. સાથે પ્રગતિ કરવાની તકો મળશે. જે જાતકો નોકરી કરે છે તેનું પ્રમોશન થઈ શકે છે. સાથે તમને ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે. જે લોકો વેપાર કરી રહ્યાં છે તેને ધનલાભ થઈ શકે છે. નવો ઓર્ડર મળી શકે છે.   

તમારા માટે ગુરૂ અને સૂર્યની યુતિ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના પંચમ ભાવ પર બનવા જઈ રહી છે. તેથી તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે તમારૂ સામાજિક વર્તુળ લવધશે અને બીજાની મદદ પણ કરી શકશો. આ દરમિયાન તમને અચાનક ધનલાભ થઈ શકે છે. જો તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તો તમને સફળતા મળી શકે છે. સાથે તમે કોઈ સંપત્તિ કે વાહન ખરીદી શકો છો. 

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય અને સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લઈ શકો છો

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link