1 વર્ષ બાદ સૂર્ય કરશે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, દરેક ક્ષેત્રમાં સફળતાનો યોગ

Mon, 07 Oct 2024-4:19 pm,

સૂર્ય દેવને જ્યોતિષમાં ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સાથે સૂર્ય દેવ લગભગ એક મહિના બાદ રાશિ પરિવર્તન કરે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય ગોચરની અસર સમગ્ર માનવ જીવન પર પડે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય દેવ નવેમ્બરમાં વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે. સાથે આ લોકોને પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. આવો જાણીએ સૂર્ય ગોચરથી કયાં જાતકોને લાભ મળશે.

તમારા લોકો માટે સૂર્ય દેવનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી લગ્ન ભાવમાં સંચરણ કરવાના છે. તેથી આ સમયે તમારી કાર્ય શૈલીમાં નિખાર આવશે. સાથે તમારી અંદર ઉર્જાનો સંચાર થશે. આ દરમિયાન તમને કરિયરમાં સારી તક મળશે. સાથે જે લોકો રિલેશનશીપમાં છે તેનો સંબંધ નવા મુકામ સુધી પહોંચી શકે છે. કુંવારા લોકોની લગ્નની વાત ચાલી શકે છે. આ સમયે તમારા નવા-નવા લોકો સાથે સંબંધ બનશે, જેનાથી તમને ભવિષ્યમાં લાભ થશે. આ સમયે તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.

સૂર્ય દેવનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી ગોચર કુંડળીના પંચમ ભાવ પર સંચરણ કરી રહ્યાં છે. તેથી આ દરમિયાન તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે જો તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તો તેમાં સફળતા મળી શકે છે. જાતકોના સાહન અને પરાક્રમમાં વૃદ્ધિ થશે જેનાથી તે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. વિદેશમાં વેપાર કરનાર લોકો સારી કમાણી કરી શકે છે.   

તમારા લોકો માટે સૂર્ય દેવનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે લગ્ન જીવનમાં લોકોને સુખ-શાંતિ મળશે. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને આપસી તાલમેલ વધશે. આ સમયે તમને રોકાણથી લાભ થશે. સાથે આવકના નવા સ્ત્રોત બનશે. તો કારોબારીઓ માટે લાભ થશે. તમારા અધૂરા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે, જે આગળ જતાં મોટો લાભ અપાવશે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link