સુરતના યુવાનનું હૃદય દિલ્હીના યુવકમાં ધબકતું થયું, સુરતમાંથી 19મા હૃદયનું દાન કરાયું

Thu, 13 Sep 2018-6:42 pm,

અકસ્માતમાં બ્રેઈન ડેડ થઈ ગયેલા 18 વર્ષના મિહિરનું હૃદય સંપૂર્ણપણે કામ કરતું હતું. આથી સુરતની સનશાઈન હોસ્પિટલ અને અંગદાનને પ્રમોટ કરતા લોકોએ મિહિરના માતા-પિતા અને પરિવારજનોને મિહિરના હૃદયનું દાન કરવા માટે સમજાવ્યા હતા.

મિહિરના હૃદયનું દાન કરવાનો નિર્ણય લીધા બાદ માતા-પિતા અને બહેને વ્હાલ વરસાવીને મિહિરને અંતિમ વિદાય આપી હતી. કાળજાના કટકાનું કાળજું આપવાનો કઠિન નિર્ણય લેવાનો નિર્ણય મિહિરના માતા-પિતાએ કઠણ કાળજું રાખીને લીધો હતો.

મિહિરના હૃદયને તેના શરીરમાંથી ઓપરેશન દ્વારા કાઢતા પહેલાં હોસ્પિટલના રૂમમાં ડોક્ટર અને પરિજનો દ્વારા મિહિરના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમયે સૌની આંખમાંથી અશ્રૃધારા વહેતી હતી. 

મિહિરને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેની માતા અને દિકરી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં હતાં. આ પ્રસંગે હાજર સૌની આંખમાં આંસુ હતા અને કોણ કોને સાંત્વના પાઠવે તે મોટો સવાલ હતો. એક તરફ વ્હાલસોયા દિકરાનું હૃદય બીજાના શરીરમાં ધબકવા માટે જઈ રહ્યું હતું જ્યારે બીજી તરફ એક મા નો લાડકવાયો આ દુનિયાને અલવિદા કહેવાનો હતો.

મિહિરના હૃદયને કાઢવા માટે સુરતની સનશાઈન હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ રહ્યો છે. અહીં, ડોક્ટરોએ મિહિરના હૃદયને સફળતાપૂર્વક તેના શરીરમાંથી અલગ કરાયું હતું. 

મિહિરના શરીરમાંથી તેનું હૃદય કાઢી લીધા બાદ એક વિશેષ થેલીમાં પેક કરીને તેને બરફથી ભરેલા ઈન્સ્યુલેટર બોક્સમાં મુકવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હૃદયને જીવંત રાખવા માટે ચોક્કસ તાપમાન જાળવી રાખવું અનિવાર્ય હોય છે. 

મિહિરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે પોલિસ સાથે કો-ઓર્ડિનેશન કરીને સુરત શહેરની સનશાઈન હોસ્પિટલથી સુરતના એરપોર્ટ સુધીના સમગ્ર રસ્તા પર ગ્રીન કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાંથી હૃદય લઈને ટીમ એરપોર્ટ પર પહોંચી હતી. 

મિહિરના અંગદાનને સફળતાપૂર્વક પુરું કરવા માટે સુરતની સનશાઈન હોસ્પિટલના ડોક્ટર્સની ટીમથી માંડીને પોલીસ અને અંગદાનને પ્રોત્સાહન આપતી સંસ્થાના કાર્યકર્તાઓએ અત્યંત મહત્ત્વની કામગિરી પૂરી પાડી હતી. 

સુરત એરપોર્ટ પરથી સ્પાઈસજેટની ફ્લાઈટમાં મિહિરના હૃદયને દિલ્હી પહોંચાડવામાં આવ્યું હતું. સુરત અને દિલ્હી વચ્ચેના 1158 કિમીના આ અંતરને ગ્રીન કોરિડોરનું નિર્માણ કરીને 177 મિનિટમાં દિલ્હી ખાતેની એઈમ્સ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. અહીં, 32 વર્ષના એક યુવકના હૃદયમાં સુરતના મિહિરના હૃદયનું સફળતાપૂર્વક હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. આ રીતે, સુરતના 18 વર્ષના યુવાનનું હૃદય દિલ્હીના 32 વર્ષીય યુવકમાં ધબકતું થયું હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link