365 દિવસ બાદ નજીક આવશે સૂર્ય-બુધ, 3 રાશિવાળાને મળશે કુબેરનો ખજાનો, અધધધ..ધનલાભ કરાવશે!

Tue, 24 Sep 2024-12:01 pm,

જ્યોતિષ  શાસ્ત્ર મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા બાદ ગોચર કરીને શુભ અશુભ યોગનું નિર્માણ કરે છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર સીધી પડતી હોય છે. સૂર્ય 17 ઓક્ટોબરના રોજ તુલા રાશિમાં ગોચર કરશે. જ્યાં બુધ 10 ગ્રહ 10 ઓક્ટોબરના રોજ તુલામાં પ્રવેશ કરશે. એક વર્ષ બાદ શુક્રના ઘરમાં બુધ અને સૂર્યની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. ધન સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે....  

તુલા રાશિવાળા માટે સૂર્ય અને બુધની યુતિ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી લગ્ન  ભાવ પર બની રહી છે. આથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સાથે જ તમને ધન કમાવવા માટે નવા સાધન પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આ  દરમિયાન તમને પાર્ટનરશીપમાં કામ કરવાથી લાભ થઈ શકે છે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. પરિણીત લોકોનું લગ્ન જીવન સારું રહેશે. આ સમયગાળામાં તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. વગદાર લોકો સાથે તમારા સંબંધ વધશે. 

મકર રાશિવાળા માટે સૂર્ય અને બુધનો સંયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમયગાળામાં ધન કમાવવાની સારી તકો મળી શકે છે. બિઝનેસ કરનારાઓને આ દરમિયાન કમાણી કરવાની સારી તકો મળશે અને તમારી આવકમાં વધારો થશે. આ સમયગાળામાં બેરોજગારોને નોકરી મળી શકે છે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. પિતા સાથે સંબંધ પહેલા કરતા સારા થશે. 

સૂર્ય અને બુધની યુતિ કુંભ રાશિવાળા માટે ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી નવમાં ભાવે બનવા જઈ રહી છે. આથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. તમને અકલ્પનીય ધનલાભ થશે અને તમારા માટે સમય અનુકૂળ રહેશે. કૌટુંબિક જીવન સુખમય રહેશે અને તમને સમૃદ્ધિ હાંસલ થશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. દેશ વિદેશનો પ્રવાસ પણ કરી શકો છો. અટવાયેલા કામો પાર પડશે. ઈચ્છાઓ પૂરી થશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link