18 વર્ષ બાદ ગ્રહોના દેવતા અને માયાવી ગ્રહ કન્યા રાશિમાં મચાવશે ધમાલ, આ રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે, નવી નોકરી મળશે!

Tue, 06 Aug 2024-10:38 am,

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અન્ય ગ્રહો સાથે યુતિ બનાવતા હોય છે. જેની અસર માનવ જીવન અને તમામ 12 રાશિઓ પર પડતી હોય છે. અત્રે જણાવવાનું કે સૂર્ય દેવ સપ્ટેમ્બરમાં કન્યા રાશિમાં પ્રવેશવા માટે જઈ રહ્યા છે. જ્યાં પહેલેથી જ માયાવી ગ્રહ કેતુ બિરાજમાન છે. સૂર્યને જ્યોતિષમાં ગ્રહોના રાજા તરીકેની પદવી મળેલી છે. જ્યારે કેતુને માયાવી ગ્રહ કે પાપી ગ્રહથી પણ ઓળખવામાં આવે છે. સૂર્ય અધિકાર, ઉર્જા અને આત્માનો કારક ગ્રહ છે. જ્યારે કેતુ મોક્ષ અને સંતુષ્ટનો કારક ગ્રહ ગણાય છે. આવામાં સૂર્ય અને કેતુની યુતિ થવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...

સૂર્ય અને કેતુની યુતિ સિંહ રાશિના જાતકો માટે લાભકારી નીવડી શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાને બની રહી છે. આથી આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક લાભ થઈ શકે છે. આ સાથે જ  તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. તમારી વાણીના દમ પર જ તમે કોઈ મોટી ડીલ મેળવી શકો છો. વેપારીઓને ઉધાર ધન મળી શકે છે. આ સમયગાળામાં નોકરીયાતોને કાર્યસ્થળે નવી જવાબદારી મળી શકે છે. માન સન્માન અને પ્રતિષ્ઠા મળી શકે છે.   

સૂર્ય અને કેતુનો સંયોગ વૃશ્ચિક રાશિવાળા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર  કુંડળીના આવક અને લાભના સ્થાન પર બની રહ્યો છે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત બની શકે છે. રોકાણથી લાભના યોગ છે. મોટા ભાઈ બહેનનો પૂરેપૂરો સાથ મળશે. કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે. આ સમયગાળામાં શેર બજાર, સટ્ટા અને લોટરીથી લાભ થઈ શકે છે.   

સૂર્ય અને કેતુની યુતિ ધનુ રાશિના જાતકો માટે લાભકારી નીવડી શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી કરિયર અને કારોબારના સ્થાને બનવા જઈ રહી છે. આથી આ દરમિયાન તમારા કામ કાજમાં સારી સફળતા મળી શકે છે. કરિયરની રીતે પણ સૂર્ય કેતુ તમારા માટે લાભકારી સાબિત થશે. નોકરીયાતોને પોતાના સીનિયર અધિકારીઓની પ્રશંસા મળી શકે છે. જે લોકો રાજકારણમાં સક્રિય છે તેમને કોઈ પદ મળી શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. 

વૃષભ રાશિના 5માં ભાવમાં સૂર્ય અને રાહુની યુતિ થવાની છે. તેનો લાભ તમારા માટે શિક્ષણ ક્ષેત્રમાં મળશે. જે જાતકો ઉચ્ચ શિક્ષણની ઈચ્છા ધરાવે છે તેમને સફળતા મળશે. જો તમે વિદેશમાં જઈને શિક્ષણ લેવા માંગતા હોવ તો આ સમય તમારા માટે સારો છે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link