Pics : ગુજરાતના આ સૂતેલા હનુમાન સામે માથુ ટેકવવાથી મુસીબતો થાય છે ઉડન છુ

Fri, 19 Apr 2019-10:47 am,

સાકરીયા ગામે આવેલા હનુમાન મંદિર રાજ્યનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં સુતેલા હનુમાનજીનું મંદિર છે. હનુમાન જયંતી નિમિત્તે મંદિરને શણગારવામાં આવે છે. આ મંદિર ભીડભંજન હનુમાનજીના નામે પ્રચલિત છે. કહેવાય છે કે, આ મંદિર પૌરાણિક છે, લોકોની શ્રદ્ધા તેની સાથે જોડાયેલી છે. અહીં આવનારની દરેક મનોકામના પૂરી થાય છે. તેથી જ હનુમાન જંયતીના અવસર પર અહીં ભક્તોની લાંબી લાઈન લાગતી હોય છે. 

કહેવાય છે કે, કળયુગમાં હનુમાનજીની ભક્તિ કરવાથી જાતકની દરેક મુસીબતો દુર થઇ જાય છે. શાસ્ત્રોમાં લખાયું છે કે, જે પણ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને આસ્થાથી હનુમાનજીની ભક્તિ કરશે, તેમને હનુમાનજીની ઉપસ્થિતિનો અહેસાસ થશે. અને આજ કારણે આપણા દેશમાં ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે, જ્યાં હનુમાનજીનું મંદિર કે પૂજા સ્થાન નહિ હોય. આપણા દેશમાં અનેક એવા હનુમાન મંદિર આવેલા છે, જ્યાં માત્ર દર્શન કરવાથી તમારા બધા દુઃખ દુર થઇ જાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link