તારક મહેતાની જાણીતી અભિનેત્રી ગુજરાતની મુલાકાતે; ખોડલધામમાં કર્યા દર્શન, ફોટો આપી કરાયા સન્માનિત

Mon, 17 Apr 2023-8:06 pm,

ટ્રસ્ટ દ્વારા ખોડલધામ મંદિરના પરિસરમાં તેઓને વિઝીટ કરાવવામાં આવી હતી અને ખોડલધામ મંદિર વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. અગાઉ 21/01/2023 એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મંત્રી મંડળ પણ દર્શન કરવા આવી પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં કાગવડ શ્રી ખોડલધામ મંદિરમાં રોજિંદા મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. વાર તહેવારમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો સેવા માટે આવી પહોંચે છે. ત્યારે આજે ખોડલધામ મંદિર ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ફેઈમ અંજલિ મહેતા (નેહા મહેતા) ખોડિયાર માતાજીના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. 

ખોડલધામ મંદિરમાં ટ્રસ્ટી જીતુભાઇ વસોયાએ માતાજીનો ફોટો અને ખોડલધામનો ખેસ પહેરાવીને સન્માનિત કર્યા હતા અને ખોડલધામ સંસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link