શ્રીકૃષ્ણને પ્રિય છે આ 4 રાશિઓ, જન્માષ્ટમી પર થશે વિશેષ કૃપા, ધન-સંપત્તિ અને પ્રતિષ્ઠામાં થશે વધારો

Sat, 24 Aug 2024-3:32 pm,

દર વર્ષે શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ તહેવારની ઉજવણી બે દિવસ કરવામાં આવે છે. પહેલા દિવસે ગૃહસ્થ અને બીજા દિવસે વૈષ્ણવ સંપ્રદાયના લોકો જન્માષ્ટમીની ઉજવણી કરે છે. આ વખતે 26 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી થશે. જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ છે. દરેક રાશિ પર કોઈને કોઈ દેવ-દેવતાની વિશેષ કૃપા રહે છે. જન્માષ્ટમીના પાવન પર્વ પર જાણીએ કઈ રાશિઓ પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિ ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય રાશિઓમાંથી એક છે. કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણની કૃપાથી આ રાશિના લોકોને પ્રગતિ અને સફળતા મળે છે. આ રાશિના જાતકો મુશ્કેલ પરિસ્થિતિને પણ સરળતાથી સંભાળી લે છે.

કર્ક રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહે છે. જ્યોતિષ અનુસાર આ રાશિના જે લોકો નિયમિત રૂપે શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરે છે, તેને જીવનમાં કોઈ જાતની કમી રહેતી નથી. 

ભગવાન શ્રીકૃષ્ણને સિંહ રાશિ અતિપ્રિય છે. આ રાશિના જાતકો સાહસી તથા પરાક્રમી હોય છે. કહેવામાં આવે છે કે નિયમિત રૂપથી કૃષ્ણ ઉપાસના કરવાથી આ રાશિના જાતકોને દરેક કાર્યોમાં સફળતા થાય છે. અટવાયેલા કામ થવા લાગે છે.

તુલા રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા દ્રષ્ટિ રહે છે. આ શ્રીકૃષ્ણની પ્રિય રાશિઓમાંથી એક છે. કહેવામાં આવે છે કે આ રાશિના જાતકોને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.  

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link