Diabetes: સ્વાદમાં ખાટ્ટા-મીઠા આ 5 ફળથી ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં, જાણો ખાવાની સાચી રીત

Sat, 22 Jun 2024-11:33 am,

જાંબુમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તેનાથી બ્લડ સુગર ઝડપથી વધતું નથી. તેમાં ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે નિયમિત એક મુઠ્ઠી જાંબુ ખાઈ શકો છો. 

ડાયાબિટીસના દર્દીઓ માટે સફરજન પણ ફાયદાકારક હોય છે. તેમાં નેચરલ શુગર હોય છે જે શરીરને નુકસાન કરતી નથી. તેમાં પેક્ટિન પણ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દિવસ દરમિયાન એક સફરજનનું સેવન ફાયદો કરે છે. 

કીવી પણ સ્વાદિષ્ટ ફળ હોય છે. કિવીમાં વિટામિન સી, વિટામીન કે અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

દ્રાક્ષ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. દ્રાક્ષમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ હોય તેવો દિવસમાં એક નાની વાટકી દ્રાક્ષ ખાઈ શકે છે. 

નાશપતિ પણ એવું ફળ છે જે ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો કરે છે. નાશપતિ  ફાયબર અને વિટામિન સીથી ભરપૂર હોય છે. તેને ખાવાથી બ્લડ સુગર સ્થિર રહે છે. ડાયાબિટીસ હોય તો રોજ એક નાશપતિ છાલ સહિત ખાવું જોઈએ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link