આ Actresses ક્યારેક ફિલ્મોમાં બની હતી `ઇચ્છાધારી નાગિન`, આ છે બોલીવુડની નવી નાગિન

Sat, 31 Oct 2020-6:32 pm,

જ્યારે પણ બોલીવુડમાં નાગિનની વાત આવે છે, ત્યારે શ્રીદેવીની તસવીર યાદ આવે છે. શ્રી દેવીની ફિલ્મ નાગિના કોઈ ભૂલી શકે નહીં. ફિલ્મમાં શ્રીદેવી એક ઇચ્છાધારી નાગિન બની હતી. ફિલ્મમાં ઋષિ કપૂરની સાથે તેમની કેમેસ્ટ્રીને તમામ લોકોએ ઘણી પસંદ કરી હતી.

સદાાબહાર અભિનેત્રી રેખા ફિલ્મ શેષનાગમાં નાગિન બની હતી. આ ફિલ્મે લોકોની વચ્ચે તેમની છબીને બદલી હતી. આ ફિલ્મમાં બે ઇચ્છાધારી સાપની સ્ટોરી દેખાડી હતી. ફિલ્મમાં જિતેન્દ્રએ પણ મહત્વનો રોલ નિભાવ્યો હતો.

ઘણા ઓછા લોકો જાણતા હશે કે એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રીએ એક ફિલ્મમાં નાગિનનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મનું નામ હતું- નાચે નાગિન ગલી ગલી. આ ફિલ્મમાં નાના પરદાના શ્રી કૃષ્ણા નિતીશ ભારદ્વાજે પણ કામ કર્યું હતું. તેમણે ફિલ્મમાં એક નાગનો રોલ નિભાવ્યો હતો.

અભિનેત્રી રીના રોયે પણ એક જમાનામાં નાગિનનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મ નાગિન માં રીના રોય એક એવી નાગિન બની હતી, જે તેના પ્રેમીની હત્યાનો બદલો લે છે.

જૂહી ચાવલાએ ફિલ્મોમાં નાગિનનો રોલ નિભાવ્યો હતો. ત્યારે એક્ટર આમિર ખાનની સાથે ફિલ્મ 'તુમ મેરે હો'માં જોવા મળી હતી. આ ફિલ્મ વધારે સફળ નહોતી થઈ.

મનીષા કોઈરાલાએ પણ એક ફિલ્મમાં નાગિનનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં અરમાન કોહલી નાગ બન્યો હતો. ફિલ્મમાં મનીષાના મોત બાદ અરમાન તેની સાથે જોડાયેલા તમામ લોકો પાસેથી બદલો લે છે.

હવે બોલીવુડની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) તેની આગામી ફિલ્મમાં નાગિનનો રોલ નિભાવી રહી છે. આ નવિ ફિલ્મ ત્રણ સીરીઝમાં જોવા મળશે. ફિલ્મને વિશાલ ફુરિયા નિર્દેશિત કરશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link