Rajkot જાઓ તો આટલું જરૂર કરજો, જોવા જેવો છે રંગીલા રાજકોટનો રંગ

Sun, 24 Jan 2021-4:18 pm,

શું તમને ખબર છે રાજકોટની સોની બજારનું સ્થાન દેશની મોટી બજારોમાં છે. સોના અને ચાંદીના ઘરેણાં ખરીદવા માટે અહીંની સોની બજારની ખાસ મુલાકાત લેવી જોઈએ. આજે પણ રાજકોટમાં સોનાના ઘરેણાં હાથથી બને છે. હાથથી બનતા ઘરેણાં બોલીવુડના સેલેબ્સ પણ પસંદ કરે છે. તો રાજકોટ ચાંદીનું સૌથી મોટું નિકાસકાર છે. ચાંદીના ઘરેણાંમાં જોઈએ તેવી ડિઝાઈન રાજકોટની સોની બજારમાં મળી રહેશે.  

દુનિયાભરની ઢીંગલીઓ અને સંસ્કૃતિથી રૂબરૂ થવાનું સ્થળ એટલે રાજકોટમાં આવેલું રોટરી ડોલ્સ મ્યુઝિયમ. 2004માં બનેલા આ ડોલ્સ મ્યુઝિટમમાં 102 દેશોથી લાવવામાં આવેલી 1600થી વધુ ઢીંગલીઓ રાખવામાં આવી છે. તમામ ઢીંગલીઓને તેમના દેશના પરંપરાગત વસ્ત્રોમાં સજાવવામાં આવી છે. જે તેમની સંસ્કૃતિને રજૂ કરી છે. દુનિયાભરની પરંપરાઓને હળવા અંદાજ માટે જાણવાનું આ સારું સ્થળ છે.  

રાજકોટ પોતાના નાસ્તાની વેરાયટીઝ માટે જાણીતું છે. જયસિયારામના પેંડા હોય કે રસિકભાઈ ચેવડાવાળાની ચટણી સાથે ખવાતી બટાટાની વેફર. એક વાર ચાખશો તો સ્વાદ દાઢે રહી જશે. રાજકોટના ઘુઘરા, દાળ પકવાન, ભૂંગળા બટેટા પણ એટલા જ ચટાકેદાર હોય છે. સાથે જ જો આઈસક્રીમ ખાવું હોય તો રેસકોર્સ રિંગ રોડ પર આખી બજાર છે. જેવો જોઈએ તેવો આઈસક્રીમ મળી રહેશે.  

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર ખાસ મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાણી-પીણા, મનોરંજન અને ખરીદીનો સંગમ એટલે રાજકોટનો લોકમેળો. પાંચ દિવસ ચાલતા આ મેળાની મુલાકાત લાખો લોકો લે છે. ભાતીગળ સંસ્કૃતિ અને રાજકોટના રંગીલા મિજાજના પ્રતિક એવો મેળો મુલાકાત લેનારના હૈયે વસી જાય છે.   

ચોથી અને પાંચમી સદીની આ ગુફાઓ રાજકોટ પાસે આવેલા ગોંડલમાં આવેલી છે. ખાંભાલીડામાં આવેલી બૌદ્ધ ગુફાઓ ટુરિસ્ટ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. ચૈત્ય તરીકે ઓળખાતી આ ગુફા પહેલા સ્તુપ પણ હતા. કહેવામાં આવે છે કે, બૌદ્ધ સાધુઓએ અહીં ધ્યાન કર્યું હતું. ગુફામાં પ્રવેશ કરતા સમયે જ પદ્મપાણી અને વ્રજપાણી નામના સ્કલ્પચર આવેલા છે. કુશાળ-ક્ષત્રપ સમયની આ ગુફાઓની પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.  

ગોલા જેને સામાન્ય રીતે બરફના ગોળા કહેવામાં આવે છે. તે તમને રાજકોટ જેવા ક્યાંય નહીં ખાવા મળે. બરફના ગોળા પર અલગ-અલગ ફ્લેવરના સીરપ સાથે ડ્રાયફ્રૂટ અને ક્રીમ જ્યારે નાખવામાં આવે છે, ત્યારે તેની લહેજત ઓર વધી જાય છે. રાજકોટ જેવા ડીશગોલા ક્યાંય નથી બનતા.  

સૌરાષ્ટ્ર સાથે ગાંઠીયા અને ફાફડા જલેબીનો વિશેષ અનોખો નાતો છે. ઑથેન્ટિકેટ ગાંઠીયા અને ફાફડા-જલેબીનો આસ્વાદ લેવો હોય તો રાજકોટ બેસ્ટ પ્લેસ છે. અહીં તમને 24 કલાક ફાફડા અને જલેબી મળી રહેશે. ગરમા ગરમ ફાફડા, પપૈયાનો સંભારો અને તીખા-તમતમતા તળેલાં મરચાં. સાથે ગરમ જલેબી તો ખરી જ. મોડી રાત્રે જશો તો તમને બટેટાની ચિપ્સ પણ મળી રહેશે. રાત્રે તેને ખાવાની લહેજત જ કાંઈક અલગ જ છે.  

મહાત્મા ગાંધીનું પૈતૃક ઘર જ્યાં તેમણે બાળપણના દિવસો વિતાવ્યા હતા તે રાજકોટમાં આવેલું છે. ઘી કાંટા રોડ પર આવેલા આ ઘરમાં 1881 થી 1887 સુધી રહ્યા હતા. જેને કબા ગાંધીને ડેલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મ્યુઝિયમને અત્યાધુનિક ટેક્નોલોજી સાથે બનાવવામાં આવ્યું છે. ગાંધીજીના જીવન, કવન અને સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે ખાસ આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link