ગુજરાતમાં શું ત્રાટકશે ખતરનાક વાવાઝોડું? અંબાલાલની આ આગાહી સૌ ટકા સાચી પડી તો...થશે મોટું નુકસાન

Sat, 25 May 2024-5:17 pm,

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. 

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જ્યાં 100-120 kmની ઝડપે પવન ફંકાશે. અરબ સાગરમા મેના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા છે.  

આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે કરી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું.

ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે. દક્ષિણ પશ્વિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેસર સર્જાશે અને 24 મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડીપ્રેશનમાં ફરેવાય તેવી શક્યતા છે. જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. રવિવારે મધ્યરાત્રિની આસપાસ તે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે. જેના કારણે બંગાળ અને ઉત્તર ઓડિશાના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. આ પ્રી-મોન્સુન સીઝનમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું આ પ્રથમ ચક્રવાત છે. ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની સિસ્ટમ અનુસાર તેનું નામ રેમલ છે, જે ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તથા રાહત અને બચાવ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.

IMD ની માહિતી અનુસાર, આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં બદલાઈ જશે. શનિવાર રાત સુધી તે વધુ તીવ્ર થીને એક ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ લએશે. તે પશ્ચિમ બંગાળના સાગર અને બાંગ્લાદેશના ખેપુપારાની વચ્ચે ટકરાશે. જ્યાં લેન્ડફોલ થતાંની સાથે ત્યાં ભયંકર તબાહી મચાવશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, રવિવારે ચક્રવાતના પ્રભાવથી 120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે. ત્યારે દરિયાઈ વિસ્તારો બંગાળ, ઓરિસ્સા અને પૂર્વોત્તર રાજ્યોમાં તેજ હવા સાથે ભારેથી અતિભારે વરસાદ આવશે. તેને પહેલા આજે શનિવારે દરિયાઈ જિલ્લા અને ઉત્તરીય ઓરિસ્સામાં ભારે વરસાદ આવી શકે છે. IMD એ બુલેટિન જાહેર કરીને ચેતવણી આપી છે. આ સમયે દરિયામાં ઉંચી લહેરો ઉઠશે. 

એકંદરે, તે સ્પષ્ટ છે કે ચક્રવાત રેમાલ બનશે. પરંતુ, તે ક્યાં ઉતરશે? બાંગ્લાદેશ કે પશ્ચિમ બંગાળનો દરિયાકિનારો, તેની સૌથી વધુ અસર ક્યાં થશે અથવા તેની તાકાત અથવા કેટલી હશે? તે હજુ સ્પષ્ટ નથી. નોંધ કરો કે રેમલ એટલે રેતી. તે અરબી શબ્દ છે. આ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. આ વવાઝોડાની પગલે દેશમા ચોમાસાની પ્રક્રિયાને અસર થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે ગરમીને લઇને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં અમદાવાદ,ગાંધીનગરમાં ઓરેન્જ અપાયું છે. પંચમહાલ,વડોદરા, સુરતમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ છે. હવામાન વિભાગે સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબીમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. ભાવનગર, બોટાદ, કચ્છમાં પણ ગરમીને લઇને ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. જો કે આ બધાની વચ્ચે રાહતના સમાચાર છે એ છે કે,  હવામાન વિભાગે બે દિવસ બાદ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડાનો અનુમાન વ્યક્ત કર્યો છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link