એક માજીએ આવીને ખજૂરભાઈને કહ્યું, મારા 9 ગાંડાને તમારી મદદની જરૂર છે

Mon, 19 Dec 2022-5:04 pm,

બન્યુ એમ હતું કે, ગોંડલ શહેરમાં 9 મનોદિવ્યાંગ છોકરાની વ્હારે નીતિન જાની પહોંચ્યા છે. મનોદિવ્યાંગ બાળકોને તેમના માતા પિતા બાંધીને રાખે છે. કારણ કે, ઘરની પાછળના ભાગે રેલવે લાઇન અને આગળના ભાગમાં હાઇવે હોવાથી માતા પિતા પણ દિવ્યાંગ બાળકોને બાંધી રાખવા મજબૂર બન્યા છે. ગોંડલમાં એક કાર્યક્રમમાં નીતિન જાની પહોંચ્યા હતા, જ્યાં એક માજીએ તેમને કહ્યુ હતું કે, મારા 9 ગાંડાને તમારી મદદની જરૂર છે. બસ આટલુ સાંભળીને ખજૂરભાઈ મદદે દોડી આવ્યા હતા. 

ગોંડલના એક મનો દિવ્યાંગ પરિવાર રહે છે. તેમની જાણ નીતિન જાનીને થઈ હતી. જેથી તેઓ પરિવારની મદદ માટે ગોંડલ આવી પહોંચ્યા હતા. સાથે સાથે ગોંડલ નગરજનોને પણ આ સતકાર્યમાં જોડાવા અપીલ કરી હતી.

નીતિન જાનીએ જણાવ્યું હતું કે, અમે આ 228 મું ઘર બનાવી રહ્યા છીએ. ગોંડલના એક અસામાન્ય અને ગરીબ પરિવાર કે જેમના માટે માથા પર ઘરનું છાપરુ હોવું ખૂબ જ જરૂરી છે. 

ખજૂરભાઈ દ્વારા દ્વારા મકાન બનાવા માટેની તમામ સામગ્રી પુરી પાડશે. સાથે જ તેઓ મકાન બનાવવાની કામગીરીમાં પણ જોડાયા હતા.

નીતિન જાનીએ વધુમાં કહ્યું કે, હું ગોંડલમાં પહેલી વાર આવ્યો છું. અહિયાં એક અસામાન્ય પરિવારની પરિસ્થિતિ જોઈ લોકોને પણ વિનંતી કરું છું કે આવા લોકોના મદદ આવે. અમે ત્રણ ઘર બનાવવાનાં છીએ. અમારી ગણતરી છે કે, ત્રણ રૂમ બનાવીએ, એટેચ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરીએ છીએ અને બહારથી આપણે જાળીની વ્યવસ્થા કરીએ, જેથી કરીને એના વૃદ્ધ મા-બાપ છે એને કોઈ તકલીફ ન પડે. દસ બાર દિવસમાં ત્રણ મકાન બનાવી દઈસુ. રાત-દિવસ કામ કરીશુ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link