500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગ

Sun, 15 Sep 2024-3:27 pm,

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરી શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં 3 રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં શનિ ગ્રહ સ્વરાશિ કુંભમાં ગોચર કરતા શશ રાજયોગ બની રહ્યો છે. ગ્રહોના રાજકુમાર બુધ 23 સપ્ટેમ્બરે સ્વરાશિ કન્યામાં પ્રવેશ કરવાથી ભદ્ર રાજયોગ બનાવશે. સાથે ધનના દાતા શુક્ર પણ 18 સપ્ટેમ્બરે સ્વરાશિ તુલામાં ગોચર કરી માલવ્ય રાજયોગ બનાવી રહ્યાં છે. આ એક વિચિત્ર સંયોગ છે કે 3 મોટા ગ્રહ સ્વરાશિઓમાં ગોચર કરી એક સાથે 3 રાજયોગ બનાવશે. જેનાથી દિવાળી પહેલા કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.  

તમારા લોકો માટે ત્રણ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને ધનલાભ થઈ શકે છે. સાથે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આ સમયે રોકાણથી લાભ થશે. તો તમારા સહકર્મીઓ પાસેથી સારા સમાચાર મળશે. ઓફિસમાં તમારા વ્યવહારને કારણે બધા લોકો તમારી મદદ કરશે. આ મહિને નવું ઘર કે વાહન ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે. સાથે આ સમયે નવી નોકરીની ઓફર મળી શકે છે. આ દરમિયાન તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો.

ત્રણ રાજયોગનું બનવું વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમયમાં તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે તમને અચલ સંપત્તિ અને જમીનથી લાભ થશે. ઓફિસમાં દરેક મામલામાં સહયોગી તમારી મદદ કરશે. તમારી જાગરૂકતા વધારો અને તમારા લક્ષ્યોને પૂરા કરો. આ મહિને તમે નાણાકીય ખાતાને નિયંત્રિત કરી શકશો. આ દરમિયાન પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. આ સમયે તમને આર્થિક દ્રષ્ટિએ કોઈ ચિંતા રહેશે નહીં. તમારી સિદ્ધિઓ તમને પ્રશંસા અપાવશે. 

ત્રણ રાજયોગનું નિર્માણ કન્યા રાશિના જાતકો માટે લાભકારી રહેશે. આ દરમિયાન કામ-કારોબારમાં તમારી પ્રગતિ થઈ શકે છે. સાથે પરિવારના સભ્યો પાસેથી દરેક કાર્ય પૂરુ કરવામાં મદદ અને સાથ મળશે. આ મહિને તમને નોકરીમાં સફળતા મળશે અને તમે જે લક્ષ્ય નક્કી કર્યાં છે તેને પ્રાપ્ત કરશો. આ દરમિયાન વેપારીઓને ધનલાભ થઈ શકે છે. સાથે કારોબારનો વિસ્તાર થઈ શકે છે. આ સમયે નોકરી કરનાર લોકોને જૂનિયર અને સીનિયરનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. 

ત્રણ રાજયોગનું બનવું કુંભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. આ દરમિયાન તમારા સંબંધો સ્થિર રહેશે. આ મહિનો તમારા સાથી તમારી વાતો પર ધ્યાન આપશે. આ દરમિયાન સ્વાસ્થ્યમાં કોઈ પરેશાની થશે નહીં. પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તો કરિયર અને કારોબારના મામલામાં આ મહિનો શાનદાર સાબિત થશે. આ સમયે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો જોવા મળશે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link