Vastu Tips: ઘરમાં આ 5 જગ્યાએ ન રાખવા જુતા-ચપ્પલ, રાખવાથી વધશે ઝઘડા અને ગરીબી

Wed, 16 Oct 2024-2:34 pm,

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં ક્યારેય જુતા-ચપ્પલ રાખવા નહીં. તેનાથી દાંપત્યજીવનમાં સમસ્યા આવે છે અને પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધે છે. 

તુલસી પૂજનીય છોડ છે. તુલસીનો છોડ હોય તેની આસપાસ પણ જુતા-ચપ્પલ રાખવા નહીં. જો તુલસી પાસે જુતા રાખવામાં આવે તો આર્થિક તંગી વધે છે. 

હિન્દુ ધર્મમાં અગ્નિ અને અન્ન બંનેને પૂજનીય માનવામાં આવે છે. આ બંનેનું સ્થાન ઘરનું રસોડું હોય છે. ઘરના રસોડામાં પણ જુતા-ચપ્પલ રાખવા નહીં અને પહેરવા પણ નહીં. આમ કરવાથી અશુભ પરિણામ ભોગવવા પડે છે.   

ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણો માં લક્ષ્મીનુ સ્થાન ગણાય છે. ઘરના ઈશાન ખૂણામાં પણ જોતા ચપ્પલ રાખવા અશુભ સાબિત થાય છે તેનાથી ધનહાની વધવા લાગે છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મેન ગેટ પર પણ જુતા ચપ્પલ ઉતારવા નહીં. તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને સમૃદ્ધિ છીનવાઇ જાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link