Kitchen Tips: ઘઉં, ચોખા કે દાળમાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે ફોલો કરજો આ ટીપ્સ
)
મોટાભાગે અનાજમાં ધનેડા પડી જવાનું કારણ ભેજ હોય છે. તેથી જે ડબ્બામાં અનાજને સ્ટોર કરવાનું હોય તે ડબ્બાને સારી રીતે સાફ કરી તડકામાં રાખી કોરા કરી લેવા જોઈએ. આ સિવાય તેનું ઢાંકણ એર ટાઈટ છે કે નહીં તે પણ જોઈ લેવું. જો ડબ્બામાં ભેજ નહીં લાગે તો આખું વર્ષ તેમાં જીવજંતુ પણ નહીં થાય. તેથી જરૂરી છે કે અનાજ ભરવાનું વાસણ બરાબર કોરું હોય અને એર ટાઈટ હોય.
)
ઘઉંને ભરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તેને ભેજ ન લાગે. ભેજના કારણે ઘઉંમાં ધનેડા જલ્દી પડી જાય છે. આ સિવાય ઘઉં ભરો ત્યારે તેમાં સુકા મરચાં રાખી દેવા જોઈએ. સુકા મરચાં ઘઉંના લોટમાં પણ રાખી શકાય છે તેનાથી લોટ કે ઘઉંમાં ધનેડા પડતા નથી.
)
ચોખા કે દાળમાં વારંવાર ધનેડા પડી જતા હોય તો આ ઉપાય કરવો. એક સુતરાઉ કપડામાં મીઠું ભરી પોટલી બનાવી લેવી. હવે આ પોટલી ને કઠોળ, દાળ, ચોખાની સાથે રાખી દો. આ પોટલી જ્યાં સુધી અનાજમાં રહેશે ત્યાં સુધી ધનેડા કે જીવજંતુ થશે નહીં.
આખા વર્ષ માટે ઘઉંને સ્ટોર કરો ત્યારે ઘઉંના ડબ્બામાં ઉપર કડવા લીમડાના પાન રાખી દેવા જોઈએ. ઘઉંની ઉપર કડવા લીમડાના પાન રાખી દેશો તો આખું વર્ષ ઘઉંમાં ધનેડા નહીં લાગે.
ઘઉંના લોટ કે ઘઉંના ઈયળ કે ધનેડા ન લાગે તે માટે ફુદીનાનો ઉપયોગ પણ કરી શકો છો. ઘઉંના ડબ્બામાં ફુદીનાના પાનને સુકવીને રાખી દેવાથી પણ અનાજમાં ધનેડા પડતા નથી.