દરિયાકાંઠે પવનનું જોર વધશે, ચક્રવાત થશે સક્રિય, હજુ આ તારીખથી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, અંબાલાલની આગાહી

Mon, 16 Sep 2024-5:01 pm,

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યા પ્રમાણે 17 અને 18 સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનશે જે 22 તારીખ સુધીમાં સક્રિય થશે. તેના કારણે 21થી 26 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. એટલે કે હજુ સપ્ટેમ્બરમાં વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે.

અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી પણ વરસાદની સંભાવના છે. તો 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસવાનું છે. ચિત્રા નક્ષત્રમાં 10થી 13 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની સંભાવના છે. જેના કારણે ત્યારે પણ વરસાદ થશે.

ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે.   

અંબાલાલે કહ્યું કે હસ્ત નક્ષત્ર એટલે કે હાથીયો કહેવાય છે. હાથીયો અને ચિત્રા નક્ષત્ર ચોમાસાના પાછળના ભાગના નક્ષત્રો છે. આ દરમિયાન ભુર પવન પરત ફરતો હોય છે. જ્યાં સુધી ભુર પવન ન વાય ત્યાં સુધી ચોમાસાની વિદાય થતી નથી. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 5 ઓક્ટોબર આસપાસ દરિયાકાંઠે ભારે પવન જોવા મળશે. ત્યારબાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થઈ શકે છે. 

અંબાલાલ પટેકે કહ્યું કે નવરાત્રિ પણ આ વખતે હાથીયો અને ચિત્રા નક્ષત્રમાં આવશે. જેથી આ દરમિયાન વરસાદની સંભાવના છે. નવરાત્રિના તહેવાર પર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link