Tej Patta Upay: સૂતા પહેલા તમાલપત્રનો આ ઉપાય અજમાવો, રાતોરાત બનાવી દેશે અમીર!

Mon, 18 Mar 2024-10:36 pm,

તમે ક્યારેય વિચાર્યું છે કે રસોડામાં ઉપયોગમાં લેવાતી અનેક વસ્તુઓ સ્વાદ વધારવા ઉપરાંત અનેક પ્રકારની પરેશાનીઓમાથી છૂટકારો પણ અપાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમુજબ ભારતીય રસોડામાં મળતા આ તમાલપત્ર ખાવાનો સ્વાદ જ નહીં પરંતુ એક કપલ વચ્ચે પ્રેમ વધારવા ઉપરાંત વ્યક્તિની મનોકામના પૂરી કરવાનું કામ પણ કરે છે. તમાલપત્રના કેટલાક ઉપાય અજમાવવાથી રાતોરાત અમીર  બની શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમાલ પત્રના આ અચૂક ઉપાયો વિશે જાણો...

જો વ્યક્તિ પોતાના ઘરમાં કોઈ પણ પ્રકારની નકરાત્મક ઉર્જા મહેસૂસ કરતો હોય તો તેણે રાતે સૂતા પહેલા ઘરમાં તમાલપત્ર  બાળવું જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 

જો વ્યક્તિને ડરામણા કે ખરાબ સપના આવતા હોય તો તેણે સૂતા પહેલા રૂમમાં તમાલપત્ર બાળીને સૂવું જોઈએ. આમ કરવાથી સમસ્યાથી છૂટકારો મળશે. 

જો વ્યક્તિ કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાથી પીડાતો હોય તો તેણે શુક્રવારે માતા લક્ષ્મીની સામે એક તમાલ પત્ર મૂકી દેવું. ત્યારબાદ રાતે સૂતા પહેલા તેને બાળી નાખવું. 

જ્યોતિષ શાસ્ત્રમાં એવા અનેક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જેને જો યોગ્ય વિધિથી કરવામાં આવે તો વ્યક્તિની મનોકામના પૂરી થાય છે. આવામાં તમાલપત્રનો આ ઉપાય પણ તમારી ઈચ્છાઓ પૂરી કરી શકે છે. આ માટે રાતે સૂતા પહેલા તમાલપત્ર  બાળીને સૂવાથી દરેક મનોકામના જલદી પૂરી થાય છે. 

જો વ્યક્તિને તેના પાર્ટનર સાથે સારું ન બનતું હોય તો સૂતા પહેલા એક તમાલપત્ર બાળીને સૂઈ જવું. આમ કરવાથી પરસ્પર થઈ રહેલા મતભેદ દૂર થશે અને પ્રેમ પણ વધશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link