Chanakya Niti: ચાણક્ય નીતિમાં ચાણક્યએ ધન, પ્રગતિ, લગ્ન જીવન, મિત્રતા, અને દુશ્મની જેવી સમસ્યાઓનું સમાધાન જણાવેલું છે. ચાણક્ય નીતિમાં એ પણ જણાવવામાં આવેલું છે કે વ્યક્તિએ જીવનમાં સફળ થવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાણક્ય નીતિમાં મહિલાઓના ગુણો વિશે પણ જણાવ્યું છે જે  ખાસ જાણવા જેવું છે. આવી મહિલાઓના પતિ તેમનાથી ખુશ રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓના ત્રણ મહત્વપૂર્ણ ગુણ
ચાણક્ય નીતિ મુજબ જે મહિલાઓમાં આ ત્રણ મહત્વના ગુણ હોય છે તેઓ તેમના ઉપરાંત તેમના પતિ માટે પણ ભાગ્યશાળી સાબિત થાય છે. જાણો પત્નીઓમાં એવા કયા ત્રણ ગુણ હોવા જોઈએ. 



ચરિત્ર
આચાર્ય ચાણક્ય મુજબ સ્ત્રીએ હંમેશા વિનમ્ર અને દયાળુ વ્યવહાર કરવો જોઈએ. આ સ્વભાવની મહિલાઓ હંમેશા પોતાના પરિવારને એકજૂથ રાખે છે. આ ઉપરાંત હંમેશા પોતાના પરિવારની ભલાઈ વિશે વિચારે છે. 



ધર્મનું પાલન કરે
આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ સ્ત્રીએ હંમેશા પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ। જે સ્ત્રી ધર્મનું પાલન કરે છે તે હંમેશા સારા કાર્યો કરવા માટે પ્રેરિત થાય છે. તે પોતાના બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે. આવી સ્ત્રી પોતાના  કર્તવ્યનું પાલન કરે છે. માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ અનેક પેઢીઓનું પણ કલ્યાણ કરે છે. 



પૈસાની બચત
આચાર્યના જણાવ્યાં મુજબ સ્ત્રીએ હંમેશા પૈસાની બચત કરવી જોઈએ. જે વ્યક્તિની પત્ની પૈસની બચત કરવાની આદત રાખે છે તે ખરાબ સમયને સરળતાથી પહોંચી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)