Relationship Tips: સંબંધોમાં નારાજગી અને મનમુટાવ સામાન્ય વાત છે. ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે નાની-મોટી સમસ્યાઓ થતી જ રહે છે. જરૂરી એ છે કે પતિ પોતાની રિસાયેલી પત્નીને યોગ્ય રીતે મનાવે જેથી સબંધોમાં પ્રેમ અને સમજદારી જળવાઈ રહે. જો કે મોટાભાગના પતિઓને એ ખબર જ નથી હોતી કે રિસાયેલી પત્નીને કેવી રીતે મનાવવી ? આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જે તમને આ કામમાં મદદ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિસાયેલી પત્નીને મનાવવાની રીતો


આ પણ વાંચો: આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?


1. જો પત્ની કોઈ વાતને લઈ નારાજ છે તો ધીરજ રાખવી અને ગુસ્સામાં આવી સમજ્યા વિચાર્યા વિના કંઈપણ બોલવું નહીં. તેનાથી સમસ્યા વધી શકે છે. શાંત રહી સમજદારીથી પ્રયત્ન કરવાથી નારાજગીનું સાચું કારણ જાણી શકાય છે. 


2. વાતચીત દરેક સમસ્યાનું સમાધાન છે. પત્ની સાથે ખુલીને વાતચીત કરવાથી તેની નારાજગી વિશે જાણી શકશો અને તેને ધ્યાનથી સાંભળશો તો તે શું ઈચ્છે છે તે પણ ખબર પડશે. 


3. જો તમારાથી ભુલ થઈ છે તો મોડું કર્યા વિના માફી માંગી લો. સાચા દિલથી સોરી બોલી દેવાથી પત્નીને પણ લાગશે કે તમે ભુલ સ્વીકારી છે તો તેને સુધારવા માંગો છો. 


આ પણ વાંચો: જીંદગી આખી સિંગલ રહી લેવું પણ આવા નેચરના છોકરાને ન કરવા ડેટ, રડવાનો જ આવે વારો


4. રિસાયેલી પત્નીને ખુશ કરવા અને મનાવવા માટે તેને સરપ્રાઈઝ આપો. તેને ફુલ, ચોકલેટ કે ગિફ્ટ આપી શકો છો. અથવા તો તેને ડિનર માટે બહાર લઈ જાઓ. આમ કરવાથી તેનો મુડ ફ્રેશ થઈ જશે. 


5. પ્રેમ અને સ્નેહથી મોટી કોઈ વસ્તુ નથી. પ્રેમ વ્યક્ત કરો. પત્નીને ગળે લગાડો, હાથ પકડો, સાથે બેસી મુવી જોવો... આ રીતે તમારો પ્રેમ વ્યક્ત કરશો તો પત્ની ક્યારેય નારાજ નહીં રહે. 


6. પત્ની ઘરના કામ અને જવાબદારીથી થાકી જતી હોય છે. જો તમારી પત્ની પર કામનું ભારણ વધારે છે તો નાના-મોટા કામ કરવામાં તેની મદદ કરો. બંને સાથે મળીને કામ કરશો તો પત્ની મદદ પણ થશે અને તેને અનુભવ થશે કે તમને તેની ચિંતા છે અને તમે તેની કદર કરો છો.