Relationship Tips: આજની દોડધામ ભરેલી જિંદગીમાં લોકો પાસે પોતાના સંબંધો માટે પણ સમય બચતો નથી. જેના કારણે જ લગ્નના થોડા વર્ષ પછી પતિ પત્ની એકબીજાથી દૂર થવા લાગે છે. ઘણી વખત તેનું પરિણામ છૂટાછેડા પણ હોય છે. જોકે ઘણી એવી બાબતો છે જેના પર ધ્યાન આપીને તમે તમારા સંબંધને તૂટતાં અટકાવી શકો છો. તો ચાલો આજે તમને એવી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરીને તમે તમારા સંબંધને તુટતાં અટકાવી શકો છો અને લગ્નના વર્ષો પછી પણ દાંપત્યજીવનમાં પહેલા વર્ષ જેવો રોમાંચ જાળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સામાન્ય લાગતી આ બાબતો પણ છે મેન્ટલ અબ્યૂઝ, સંબંધમાં આ ઘટનાઓની ન કરવી અવગણના


વાત કરો


સફળ લગ્નજીવન માટે જરૂરી છે કે પતિ પત્ની વચ્ચે કોમ્યુનિકેશન થાય. એટલે કે પોતાના સાથીના વિચાર સાંભળો અને તમારી ભાવનાઓ ખુલીને વ્યક્ત કરો. વાતચીત કરવાથી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. તેથી વાત કરવાનું ક્યારેય બંધ ન કરો.


સમય આપો


આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં તમારા કામમાં તમે વ્યસ્ત રહેતા હોય તેમ છતાં એકબીજાને સમય આપવાનું રાખો. તમે અઠવાડિયામાં એક વખત ડેટ પર કે લોન્ગ વીકેન્ડ પર ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો. આ સમયે નક્કી કરો કે તમે ફોન કે અન્ય કોઈ વસ્તુમાં સમય પસાર નહીં કરો અને એકબીજાને જ સમય આપશો.


આ પણ વાંચો: Couple Goal: આ ટિપ્સ અપનાવશો તો લગ્નના વર્ષો પછી ફરીથી તમારા પ્રેમમાં પડી જશે પતિ


એકબીજાનું સન્માન કરો


સંબંધને ખુશહાલ અને મજબૂત બનાવવાનો આ મુખ્ય મંત્ર છે. પોતાના સાથીનું સન્માન કરવું જરૂરી છે. તમારા સાથીના મૂલ્યોની સરાહના કરવી પણ જરૂરી છે. 


વખાણ કરો


સમય સમય પર પોતાના પાર્ટનર અને તેની ક્વોલિટીઝના વખાણ કરવામાં કંઈ જ ખોટું નથી. સંબંધને સાચવવા માટે તમારો પાર્ટનર જે પ્રયત્ન કરે છે તેના વખાણ કરવાથી સંબંધ પર પણ સારી અસર થાય છે. આમ કરવાથી સંબંધ મજબૂત થાય છે અને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ પણ મજબૂત થાય છે.


આ પણ વાંચો: બોરિંગ થયેલા લગ્નજીવનમાં રોમાન્સનો તડકો લગાવી દેશે આ ટીપ્સ, દરેક કપલે કરવી જોઈએ ફોલો


ઈન્ટીમસી


ખુશહાલ લગ્નજીવન માટે ફિઝિકલ અને ઈમોશનલ ઈન્ટીમસી પણ જરૂરી છે. એકબીજા પ્રત્યેના પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરવાનું રાખો. તેનાથી પતિ પત્ની વચ્ચેનું કનેક્શન મજબૂત થાય છે.