Relationship Mistakes: લગ્ન પછી પતિ પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા તો નોર્મલ વાત છે. પરંતુ કેટલાક કપલ વચ્ચે નાનકડી વાતમાંથી પણ એટલી મોટી લડાઈ થઈ જાય કે જીવનભરનો સાથ પણ તૂટી જાય છે. આવું એટલા માટે થાય છે કે ક્રોધ અને આવેશમાં કેટલીક ભૂલ કરવામાં આવે. સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય તો થોડા દિવસમાં સમાધાન પણ થઈ જાય છે. અને કેટલાક કપલ ઝઘડા પછી અલગ થઈ જતા હોય છે. ત્યાર પછી ઝઘડાનું કારણ જાણવામાં આવે તો અફસોસ પણ થાય કે આ વાતમાં એટલું મોટું શું છે? પરંતુ ઝઘડાના કારણમાં કોઈ મોટી વાત હોતી નથી ઝઘડા દરમિયાન જો કેટલીક બાબતો પતિને સંભળાવવામાં આવે તો વાત વધી જતા વાર નથી લાગતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Relationship Tips: સંબંધોમાં મળતા આ Red Flag માં આંખ આડા કાન કરશો તો જીવનભર પસ્તાસો


આજે તમને આવી જ મહત્વની વાત વિશે જણાવીએ. પતિ પત્ની વચ્ચે જો ક્યારેય ઝઘડો થાય તો પત્નીએ પોતાના પતિને આ વાતો સંભળાવી નહીં. આ વાતો એવી છે જે તમારા સંબંધને ખરાબ કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે ઝઘડા પછી કે ઝઘડા દરમિયાન પત્નીએ પતિને કઈ કઈ વાતો ન કહેવી જોઈએ. 


આ પણ વાંચો: NATO Dating: સિચુએશનશિપ પછી ડેટ કરવાની નવી રીત છે નાટો ડેટિંગ, કમિટમેંટની ચિંતા નહીં


જૂની ભૂલ 


ઘણી મહિલાઓને એવી આદત હોય છે કે જ્યારે પણ ઝઘડો થાય તો તે પતિની જૂની ભૂલ ગણવા લાગે છે અને તેને સંભળાવવા લાગે છે. જો તમે વારેવારે ભૂતકાળની ભૂલોને લઈને પતિને સંભળાવશો તો વાત વધતી જ જશે અને પતિના મનમાં તમારા માટેનો પ્રેમ પણ ઓછો થઈ જશે. જૂની વાતો સંભળાવીને તમે આગમાં ઘી નાખવાનું કામ કરશો તેથી આ ભૂલ કરવી નહીં. 


આ પણ વાંચો: ગુસ્સાના કારણે તુટી શકે છે વર્ષો જુના સંબંધ પણ.. આ રીતે ક્રોધ પર મેળવો કાબૂ


તુરંત ડેમેજ કંટ્રોલ 


ઘણી વખત ઝઘડાને લઈને પત્નીના મનમાં અફસોસ જાગે છે અને ઝઘડા પછી તુરંત જ તે ડેમેજ કંટ્રોલ એટલે કે ઝઘડો પૂરો કરવાની ઉતાવળ કરી બેસે છે. આવી ભૂલ પણ ભારે પડી શકે છે. ઝગડાના કારણે પતિ જો ગુસ્સામાં હોય તો તે સમયે તેને ગમે એટલું સમજાવશો તેનો ગુસ્સો વધતો જ જાશે. તેથી ઝઘડો થઈ ગયા પછી તુરંત જ પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન ન કરો. વાતાવરણને ઠંડું થવા દો. 


આ પણ વાંચો: હનીમૂન ટ્રીપને યાદગાર બનાવવી હોય તો જાણી લો હનીમૂન દરમિયાન શું કરવું અને શું નહીં...


ખોટો દેખાડો ન કરો 


ઘણી મહિલાઓ સમાધાન થઈ જાય તે માટે પોતાના મનમાં કાંઈ નથી તેવો ખોટો દેખાડો કરે છે. પરંતુ હકીકતમાં તો વાતો મનમાં ભરી રાખી હોય છે. આવું કરશો તો થોડા જ દિવસમાં સ્થિતિ ફરીથી બગડશે. કારણ કે ફેક ઈમોશનને લાંબો સમય છુપાવી શકાતા નથી. તેથી ક્યારે દેખાડો કરવો નહીં. જે તમારા મનમાં છે તે જ દેખાડો. જો તમે મનથી માનો છો કે ભૂલ તમારી હતી તો માફી માંગવામાં પણ શરમ ન રાખવી. 


આ પણ વાંચો: પાર્ટનર તમારી સાથે કરે આવું વર્તન તો સમજી લેજો તમારી સાથે થઈ રહી છે માઈક્રો ચીટિંગ


પતિના પરિવાર પર કોમેન્ટ  


ઘણા પતિ પત્ની એવા હોય છે કે જે ઝઘડે તો એકબીજાના પરિવારના લોકો વિશે પણ ખરાબ વાતો કરવા લાગે છે. ખાસ તો પત્ની આવું કરતી હોય છે. ઝઘડો થાય એટલે પોતાના પતિના પરિવારના લોકો પર પણ કોમેન્ટ કરવા લાગે છે. જો તમે આવી શરૂઆત કરશો તો પિયરના લોકો માટે પણ ખરાબ શબ્દો સાંભળવાની તૈયારી રાખવી પડશે. અને એક વખત વાત અહીંયા સુધી પહોંચી ગઈ તો પછી ઝઘડો વધી જતા પણ વાર નહીં લાગે. તેથી ક્યારે પતિને આ બાબતે સંભળાવવાની શરૂઆત કરવી નહીં.