Surya Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ બદલે છે. ગ્રહોનું રાશિ પરિવર્તન દરેક રાશિના લોકોના જીવનને પ્રભાવિત કરે છે. ગ્રહ ગોચરનો પ્રભાવ સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારનો હોય છે. બધા જ ગ્રહોમાં સૂર્ય દર માસમાં પોતાની રાશિ બદલે છે. વર્ષ 2024 માં સૂર્ય 15 જાન્યુઆરીએ ધન રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યના મકર રાશિમાં પ્રવેશ મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનું હિંદુ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. સૂર્યના આ ગોચર થી કેટલીક રાશિના લોકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. તો ચાલો તમને જણાવીએ બારમાંથી કઈ રાશિના લોકો માટે મકરસંક્રાંતિ પછીનો સમય શુભ રહેવાનો છે. 


આ પણ વાંચો: તુલસીના છોડમાં જોવા મળતા આ 3 ફેરફાર ધનલાભ થવાનો હોય છે સંકેત, જીવનમાં વધે છે સુખ


વૃશ્ચિક રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યના ગોચરથી વૃશ્ચિક રાશિના લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. આ સમય દરમિયાન કરેલા કાર્યોના સારા પરિણામ મળશે. કાર્ય સંબંધિત યાત્રા પર જવાનું થશે જેમાં સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. વિદેશ યાત્રા પણ થઈ શકે છે.


ધન રાશિ


ધન રાશિને પણ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ લાભકારી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. આર્થિક સમસ્યાઓ હતી તે દૂર થશે. પારિવારિક જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળશે. જીવનસાથી સાથેના સંબંધ મધુર થશે.


આ પણ વાંચો: આજે કાલાષ્ટમી, ઘરે લાવો શિવજીની 3 પ્રિય વસ્તુઓમાંથી કોઈ એક, ચમકી જશે ભાગ્ય


મીન રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યનું ગોચર મીન રાશિના લોકોને પણ શુભ ફળ આપશે. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં વિશેષ ફળની પ્રાપ્તિ થશે. કરેલી મહેનત રંગ લાવશે. પ્રમોશનના યોગ બની રહ્યા છે. વેપાર સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.


આ પણ વાંચો: રસોડામાં ક્યારેય ખુટવી ન જોઈએ આ વસ્તુઓ, ખાલી થવાથી માં લક્ષ્મી થાય છે નારાજ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)