Margi Shani 2023: શાસ્ત્રો અનુસાર શનિદેવ ન્યાયના દેવતા છે અને તે કર્મ અનુસાર વ્યક્તિને ફળ આપે છે. વ્યક્તિના સારા અને ખરાબ કર્મોનો હિસાબ શનિદેવ તેમની દશા દરમિયાન કરે છે. સારા કર્મ કરનાર વ્યક્તિને શનિદેવ શુભ ફળ આપે છે અને ખરાબ કર્મ કરનારને પીડા આપે છે. વર્ષ 2023 ની શરૂઆતમાં શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. કુંભ રાશિમાં 4 નવેમ્બર 2023 થી શનિ માર્ગી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિના માર્ગી થવાથી કેટલીક રાશિના લોકોને લાભ થશે તો કેટલાક લોકોને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે. તો ચાલો તમને પણ જણાવીએ કે 4 નવેમ્બર પછી કઈ રાશિના લોકો માટે સારા સમયની શરૂઆત થવાની છે અને કઈ રાશિના લોકોને દિવાળી ધન લાભની દ્રષ્ટિએ ફળવાની છે.


આ પણ વાંચો:


જે ઘરમાં સ્ત્રી સ્નાન કર્યા વિના કરે આ કામ તે ઘરમાં વધે દરિદ્રતા, થાય છે ધનહાનિ


5 રાશિઓને ફળશે ઓક્ટોબર મહિનો, આ રાશિઓએ રહેવું પડશે સાવધાન, વાંચો તમારું માસિક રાશિફળ


પિતૃ પક્ષના આ નિયમોનું ન કરવું ઉલ્લંઘન, કરવાથી જીવનમાં થશે ઊથલપાથલ


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકો માટે 4 નવેમ્બર પછીનો સમય ખૂબ જ શુભ છે. શનિદેવ આ રાશિના લોકો ઉપર પોતાની કૃપા વરસાવશે અને તેમને નોકરી અને વેપારમાં સફળતા પ્રાપ્ત થશે. જે લોકો આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે તેમને પણ આ સમય દરમિયાન રાહત મળશે. આ રાશિના લોકો માટે 4 નવેમ્બર પછીનો સમય વરદાન સમાન સાબિત થશે.


મિથુન રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિના લોકો માટે શનિનું માર્ગી થવું અનુકૂળ પરિણામ આપશે. આ સમય દરમિયાન તેમને દરેક ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થશે. આ રાશિના લોકોને આર્થિક સ્થિતિ સુદ્રઢ થશે. શનિ માર્ગી થવાથી જમીન અને વાહન વગેરે ખરીદવાના યોગ બની રહ્યા છે. દિવાળી પહેલા આ રાશિના લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા થવાની છે.


આ પણ વાંચો:


પિતૃ પક્ષ દરમિયાન આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદથી બનશો કરોડપતિ


આગામી 15 દિવસ આ 5 રાશિઓ માટે હશે લાભકારી, પિતૃઓની કૃપાથી દરેક ઈચ્છા થશે પુરી


સિંહ રાશિ


શનિના માર્ગી થવાથી સિંહ રાશિના લોકોને પણ સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના લોકોની નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને નોકરી શોધતા લોકોને 4 નવેમ્બર પછી શુભ સમાચાર મળશે. વેપારીઓ કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકે છે. આ રાશિના લોકોને સંપત્તિથી ફાયદો થશે.


કન્યા રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર 4 નવેમ્બરે શનિના માર્ગી થયા પછી આ રાશિના લોકોને પણ શુભ ફળની પ્રાપ્તિ થવા લાગશે. શનિદેવ આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં લાભ કરાવશે. આ સમય દરમિયાન ધન લાભના પણ યોગ બની રહ્યા છે. વેપારમાં સફળતાના પ્રબળ યોગ બનતા નજર આવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)