Shani Gochar 2023: શનિ દેવ દરેક વ્યક્તિને તેના કર્મના હિસાબે ફળ આપે છે. જેના કર્મ ખરાબ હોય તેને શનિદેવ કષ્ટ આપે છે અને સારા કર્મ કરનારને સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. જ્યારે શનિ પ્રસન્ન થાય છે ત્યારે રંકને પણ રાજા બનાવે છે અને જ્યારે શનિ ક્રોધિત થાય છે ત્યારે રાજા પણ રસ્તા પર આવી જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં શનિની સ્થિતિ અને તેનું રાશિ પરિવર્તન પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.  શનિ ગ્રહના રાશિ પરિવર્તનની અસર પણ દરેક રાશિના જાતકોના જીવન પર જોવા મળે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમકે આ સમયે શનિ તેની મૂળ રાશિ કુંભ રાશિમાં છે. વર્ષ 2025 સુધી શનિ કુંભ રાશિમાં રહેશે. 30 વર્ષ પછી શનિ સ્વરાશિ કુંભમાં છે. જેના કારણે વર્ષ 2023 થી 2025 સુધીનો સમય 3 રાશિના લોકો માટે શુભ અને લાભકારી રહેવાનો છે.  
 
આ 3 રાશિઓ માટે 2025 સુધીનો સમય અતિશુભ 


આ પણ વાંચો:


12 માંથી આ 5 રાશિ છે માતા લક્ષ્મીની પ્રિય, આ રાશિના લોકો પર રહે છે માતાના ચાર હાથ


બસ આ 3 નિયમોનું પાલન કરો, જ્યારથી બદલાવ કરશો ત્યારથી બદલી જશે તમારું પણ નસીબ


Zodiac Signs: આ 5 રાશિના લોકો ખર્ચા કરે છે બેફામ, ખિસ્સામાં નથી ટકતાં ક્યારેય રૂપિયા


વૃષભ રાશિ 


કુંભ રાશિમાં શનિનું ગોચર વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે. શનિ 2025 સુધી આ રાશિઓ પર ગોચર કરશે અને આ રાશિનું ભાગ્ય ચમકાવશે. નોકરી કરનારાઓને ઘણી સારી તકો મળશે. તમને પદ, પ્રતિષ્ઠા અને સન્માન મળશે. ધનથી ફાયદો થશે. આવકમાં વધારો થશે. ધંધો સારો ચાલશે. શનિના ગોચરના કારણે 2025 સુધીનો સમય આ રાશિના જાતકો માટે અંગત અને વ્યાવસાયિક બંને બાબતોમાં શુભ અને અદ્ભુત રહેશે.


સિંહ રાશિ


2025 સુધી સિંહ રાશિના લોકો પર શનિ ખૂબ જ મહેરબાન રહેશે. ભાગ્યના સહયોગથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે. આર્થિક લાભ થશે. ધન મળવાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. ધંધામાં ભાગીદારીથી લાભ થશે. કારર્કિદીમાં તમને ઘણી તકો મળશે. 2025 સુધીનો સમય પરિણીત લોકો માટે પણ સારો રહેશે. આ સમય સિંહ રાશિના જીવનમાં સુખ, સૌભાગ્ય અને વૈભવ વધારશે.


તુલા રાશિ 


કુંભ રાશિમાં શનિનું ગોચર તુલા રાશિના લોકોને ઘણો લાભ આપશે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને પૈસા, પદ, પ્રતિષ્ઠા, પ્રેમ બધું જ મળશે. કારર્કિદી અને નાણાંકીય બાબતોમાં તમે ઘણી પ્રગતિ કરશો. નોકરી-ધંધામાં દિવસ-રાતની પ્રગતિ તમને ખુશ કરશે. જીવનમાં સમૃદ્ધિ વધશે. મિલકતમાંથી લાભ થશે. સંતાન તરફથી તમને સુખ મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)