Rashi Parivartan: વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરતા રહે છે. 18 ઓક્ટોબરથી જ્યારે શનિ-શુક્ર અને ગુરુ રાહુ આમને સામને આી જશે અને 3 રાશિઓને ભાગ્ય ખોબલે ખોબલે ફાયદો કરાવશે. આ સમય ઉપલબ્ધિઓથી ભરેલો રહેશે બસ જરૂર રહેશે તો તક તમારે હાથમાંથી જવા દેવી નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈદિક જ્યોતિષમાં શનિ-શુક્ર અને ગુરુ રાહુના આમને સામને આવવાથી સમસપ્તક યોગ  બનશે અને ત્રણ રાશિઓને તેનો ફાયદો થશે. આ ભાગ્યશાળી રાશિઓ વિશે ખાસ જાણો. 


વૃષભ રાશિ
- આ સમય તમારા માટે કાર્યક્ષેત્રમાં ઓળખ બનાવનારો રહેશે. 
- ભાગ્ય અને કરિયરની રીતે આ સમય ઉત્તમ રહેશે. 
- અચાનક ધનલાભ થશે અને ભાગ્યોદય થશે. 
- વેપાર કરનારાઓને ફાયદો થશે. 
- નોકરીયાત હશો તો આ સમયે પ્રગતિ કરી શકો છો. 


તુલા રાશિ
- બુદ્ધિ તમને બરાબર સાથ આપશે. 
- વિદેશથી ધનલાભ થશે. 
- તમારી જ રાશિમાં ત્રિગ્રહી યોગ પણ હશે આવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. 
- વાહન ચલાવતી વખતે સાવધાની વર્તવાની જરૂર હશે. 
- શુક્ર તમારા લાભ સ્થાને  બેઠો છે અને સાથે શનિ પણ છે. 


ધનુ રાશિ
- આ સમયે તમારા હાથમાં જે પણ હશે તે મોટી સફળતા અપાવશે. 
- તમારા વિરોધીઓ સજ્જડ હારનો સામનો કરશે. 
- કોઈ યાત્રા જે બિઝનેસ સંબંધિત હશે તે શુભ પરિણામ આપશે. 
- તમારું સાહસ અને પરાક્રમ ચરમસીમાએ રહેશે. 
- કરિયરમાં નવી ઊંચાઈ મેળવવા માટે યોગ્ય સમય રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube