Ambaji Temple અલકેશ રાવ/બનાસકાંઠા : અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાની વિધિવત શરૂઆત કરાઈ છે. આજથી અંબાજી ભાદરવી મહાકુંભની રંગેચંગે શરૂઆત થઈ છે. દાંતા રોડ પર અંબાજી મંદિરના ચેરમેન અને વહીવટદારે રથ ખેંચીને મેળાની શરુઆત કરી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પરીવાર સાથે પૂજામાં જોડાયાં હતા. નાની બાળકીએ રથ સાથે પૂજા અર્ચના કરી હતી. તો અંબાજી માતાજીની આરતી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રથની પૂજા કરીને મેળાનો પ્રારંભ કરાયો 
ભક્તિ શક્તિ અને અસ્થાન કેન્દ્ર સમા માં અંબાના ધામ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમના મેહમેળાની શરૂઆત થઈ છે. ત્યારે અંબાજી નજીક વેંકટેશ માર્બલ પાસે માતાજીનો રથ લાવવામાં આવ્યો હતો. આ રથનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટરે રથની પૂજા અર્ચના કરી હતી. જ્યાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા મંત્રોચ્ચાર કરી માતાજીના રથની પૂજા કરાઈ હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટરે રથને અંબાજી તરફ હંકારીને ભાદરવી પૂનમના મહાકુંભ મેળાનો શુભારંભ કરાવ્યો. હવે ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો ભક્તો માં અંબાના ધામમાં ઉમટી પડશે અને અરવલ્લીની ગિરિમાલમાં આવેલ અંબાજી બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. જોકે પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે.


અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની, આ તારીખથી ગુજરાતમાં ફરી અતિભારે વરસાદનો રાઉન્ડ આવશે


મેળો 29 સપ્ટેમ્બર સુધી ચાલશે
આજથી શરૂ થયેલો મેળો 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આ વર્ષના મેળામાં 35 થી 40 લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના છે. આજથી બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી અંબાજી મંદિરનું પરિસર ગૂંજી ઉઠ્યું છે. યાત્રાળુઓ માટે ખાસ વોટર પ્રૂફ વિસામા બનાવવામાં આવ્યો છે. તો વિકલાંગ, સિનિયર સિટીઝન માટે રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે 8 કરોડ રૂપિયાનું વીમા કવચ લેવામાં આવ્યું છે. અંબાજી ધામને રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવ્યું છે. ભક્તોની સુરક્ષા માટે 6500 પોલીસ કર્મચારીઓ મેળામાં તૈનાત કરાયા છે. આમ, લોખંડી બંદોબસ્ત વચ્ચે આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ છે. 



પદયાત્રીઓ માટે ફ્રીમાં રીક્ષાની વ્યવસ્થા 
તમામ ભક્તો માટે અંબાજીમાં લાઈટ, દૂધ-પાણી, ભોજન, આવાસ, આરોગ્ય સહિતની તમામ સેવાઓ વહીવટી તંત્રે તૈયારી કરાઈ છે. ભક્તો માટે પાર્કિગ વ્યવસ્થા, દર્શન માટે લાઈન, મેળાનું જીવંત પ્રસારણ, ગબ્બર પર વિશેષ લાઈટની સુવિધા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માતાજીના ધામમાં શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ તકેદારી રાખવામાં આવી છે. ભક્તો માટે વીમા કવચ પણ લેવામાં આવ્યું છે. અંબાજીમાં પદયાત્રીઓ માટે ફ્રીમાં રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો નાના બાળકોને આઈકાર્ડ આપવામાં આવશે. ભાદરવી પૂનમના મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 6500 જેટલાં પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે. જેમાં એસપી સહિત 20 ડીવાયએસપી, 54 પીએસઆઈ, 150 પીએસઆઈ, 2500 હોમગાર્ડના જવાનો અને 700 જીઆરડીના જવાનોનો સમાવેશ થાય છે.    


અમદાવાદમાં રહેતી રશિયન મહિલાને ધમકી, PMO માં ફરિયાદ કરી માંગી સુરક્ષા  


બનાસકાંઠાના કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું કે, વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમા ભરાતા મોટા મેળાઓમાં અંબાજી ભાદરવીના મહમેળાની ગણના થાય છે અને આ મેળામાં લાખો યાત્રીકો અને શ્રદ્ધાળુ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે એમાં પગપાળા યાત્રીકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોય છે અને અંબાજીના આવતા બધા રસ્તા પર માનવ મહેરામણ ઉમટે છે અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમાળાઓમાં બોલ મારી અંબે જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે અને લાખો આવનાર શ્રદ્ધાળુઓને લઈને અંબાજી મંદિર વહીવટી તંત્રએ પદયાત્રીઓની અને દર્શનાર્થીઓની સેવા માટે તૈયારીઓને આખરીઓ આપી દીધો છે. 


મેળામાં જતા રસ્તા પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ અને સહાયતા કેન્દ્ર શરૂ કરાયા છે. લાઈટ દૂધ પાણી ભોજન, આવાસ, આરોગ્ય સહિતની તમામ સેવાઓની વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. તો ભક્તો માટે પાણીની, શુંધ્ધ ભોજન ,પાર્કિંગ વ્યવસ્થા દર્શન માટે લાઈન વ્યવસ્થા તેમજ મેળાનું જીવંત પ્રસારણ, ગબ્બર પર વિશેષ લાઈટનું સુવિધા અને ટેકનોલોજીના માધ્યમથી શ્રદ્ધાળુ ઓનલાઈન પણ દર્શન કરી શકશે.


શક્તિસિંહ ગોહિલનો મોટો આક્ષેપ : ભાજપના મંત્રીની દીકરી માટે NEET માં ઝીરો કટ ઓફ કરાયુ


ત્યારે ભાદરવીના મહા મેળામાં આ વખતે વહીવટી તંત્ર એ અનેક નવા પ્રયોગ પણ શરૂ કર્યા છે અને લાખો આવનાર શ્રદ્ધાળુ અને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેને માટે તકેદારી રખાઇ છે. તો ભક્તો માટે વીમા કવચ પણ લેવાયું છે. અંબાજીમાં આવતા પદયાત્રીઓને મફત રીક્ષાની પણ વ્યવસ્થા કરાઈ છે તો નાના બાળકો માટે આઈકાર્ડની પણ વ્યવસ્થા કરાઈ છે.


તો બીજી બાજુ સુરક્ષાને ધ્યાને લઈને 6500 પોલીસકર્મીઓ મેળા માટે તૈનાત કરાયા છે. જેમાં એસપી સહિત,20 DYSP, 54 પીઆઇ ,150 પીએસઆઇ,2500 હોમગાર્ડના જવાનો તેમજ 700 જીઆરડીના જવાનો તૈનાત કરાયા છે તો અંબાજી મંદિર પરિસર તેમજ અંબાજી શહેર અને પાર્કિંગ વિસ્તારો અને રસ્તાઓ ઉપર 400 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. તો ભક્તો માટે પ્રસાદને લઈને અનેક પ્રસાદ વિતરણ કેન્દ્રો બનાવાયા છે.


અંબાલાલ પટેલે આગાહી કરીને ચોખ્ખે-ચોખ્ખું કહી દીધું, આ વર્ષે નવરાત્રિ બગાડશે વરસાદ