Astro Tips For Job: જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી ઈચ્છા તો દરેક વ્યક્તિની હોય છે. પરંતુ તમે જોયું જ હશે કે દરેક વ્યક્તિની પરિસ્થિતિ એક સમાન નથી હોતી. તેનું મુખ્ય કારણ હોય છે કુંડળીમાં અશુભ ગ્રહોનો પ્રભાવ. જેના કારણે વ્યક્તિના જીવનમાં અશાંતિ, નિષ્ફળતા અને આર્થિક સમસ્યાઓ રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં આવી સમસ્યાનો ઉપાય પણ જણાવવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિને વારંવાર મહત્વના કામમાં નિષ્ફળતા મળતી હોય તો તે નિષ્ફળતાને સફળતામાં બદલી શકાય છે. તેના માટે લાલ મરચાના કેટલાક ઉપાય કરવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાલ મરચાં જીવનમાં લાવશે ખુશીઓ 


આ પણ વાંચો: બુધ ખોલશે ભાગ્યના બંધ દરવાજા, ભદ્ર રાજયોગથી નોકરી કરતા લોકોની હશે ચાંદી જ ચાંદી


1. મહેનત કર્યા પછી પણ ઘરમાં બરકત રહેતી ન હોય તો સાત લાલ સુકા મરચા લેવા અને તેને એક રૂમાલમાં બાંધીને ઘરમાં એવી જગ્યાએ રાખી દો જ્યાં તમે ધન રાખતા હોય. તમારા ઘરની બરકત વધી જશે. 


2. જો લાંબા સમયથી તમારું કોઈ કામ અટકેલું હોય તો તેમાં સફળતા મેળવવા માટે લાલ મરચાનો આ અચૂક ઉપાય કરી શકાય છે. એક કળશ અથવા તો લોટામાં પાણી ભરો અને તેમાં લાલ મરચાના 21 બી ઉમેરો.. હવે આ પાણીને ઘરના મુખ્ય વ્યક્તિની ઉપરથી સાત વખત ઉતારી રસ્તા પર ફેંકી દો. આમ કરવાથી ઘરમાં આવતી બાધા દૂર થશે અને કાર્યો પણ સફળ થવા લાગશે. 


આ પણ વાંચો: Budhwar Upay: 1 રુપિયાના સિક્કાથી બુધવારે કરી લો આ કામ, સોના-ચાંદીથી ભરાઈ જશે તિજોરી


3. જો તમે સારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છો અને વારંવાર તમને ઇન્ટરવ્યૂમાં નિષ્ફળતા મળે છે તો નોકરી માટે ઇન્ટરવ્યૂમાં જતા પહેલા 5 સૂકા લાલ મરચા લેવા. આ મરચાને ઘરના ઉંબર પર રાખી દો અને પછી તેના પર પગ મૂકીને જોબના ઇન્ટરવ્યૂ માટે જાવું. આ ઉપાયથી ઇન્ટરવ્યૂ સારું જશે અને સફળતા મળશે. 


આ પણ વાંચો: રક્ષાબંધન પર શનિદેવ બદલશે નક્ષત્ર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે, કાર્યો થશે સફળ


4.  જો તમને લાગે છે કે તમારા ઘર કે બાળકોને કોઈની ખરાબ નજર લાગી ગઈ છે તો લાલ મરચા લઈને ઘર પરથી 7 વખત ઉતારી તેને સળગાવી દો. આ રીતે બાળકોની નજર પણ ઉતારી શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)