Friday Astro Tips: સનાતન ધર્મમાં સપ્તાહના દરેક દિવસનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. આવી જ રીતે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્રદેવને સમર્પિત માનવામાં આવે છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. શાસ્ત્રો અનુસાર ઘરમાંથી આર્થિક સંકટ દૂર કરવા હોય તો શુક્રવારના દિવસે કેટલાક ઉપાય કરી શકાય છે. આ સરળ કામ કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુશ થઇ જશે આ 3 રાશિના લોકો, સુખ-સૌભાગ્યના દાતા ગુરૂ આપશે મનમૂકીને રૂપિયા, પ્રગતિ!
હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે 'ગલગલિયાં' ક્યાંક પડી ન જાય ભારે, જાણો લેજો કાયદો
ગુજરાતીઓ થાઇલેન્ડમાં બીચ પર જઇને નહી પણ અહીં થાય છે રિલેક્સ, પત્નીઓના ચઢી જાય છે નાક


શુક્રવારના ઉપાય
- પરિવારની આર્થિક તંગી દૂર કરવા માટે ૧૨ કોડીને સળગાવી તેની રાખ બનાવી લેવી. આ રાખને લીલા રંગના કપડામાં બાંધીને પાણીમાં પ્રવાહિત કરી દેવી. આમ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને પરિવારની સ્થિતિ સુધરવા લાગે છે.


- જો કરજ વધી ગયું હોય તો કરજને દૂર કરવા માટે દર શુક્રવારે કમલ ગટ્ટાની માળાથી માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે કરજથી મુક્તિ મળે છે.


Honda એ 'છાનામાના' લોન્ચ કરી દીધું આ નવું સસ્તું સ્કૂટર, ભુક્કા કાઢી નાખે એવા ફીચર્સ
આવી ગઇ ખુશખબરી! ટાટા ગ્રુપે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 1 લાખ બદલે મળશે 7 કરોડ


- ઘરમાં ધનની આવક વધે તે માટે શુક્રવારે માતા લક્ષ્મીની પ્રતિમા સામે અખંડ દીવો કરવો. આબુ 11 શુક્રવારે કરવું અને 11 માં શુક્રવારે 11 કન્યાઓને ભોજન કરાવો.


- ઘરમાં કંકાસ વધારે થતો હોય તો દર શુક્રવારે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. સાથે જ ઘરમાં શાંતિ રહે તે માટે પ્રાર્થના કરવી.


અમદાવાદના આ 15 માર્કેટની એકવાર જરૂર લેજો મુલાકાત, મળી જશો સસ્તામાં સારો ખજાનો
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો


- પરિવારમાં જો કોઈ વ્યક્તિની તબિયત ખરાબ રહેતી હોય તો શુક્રવારના દિવસે મહાલક્ષ્મીમાનું ધ્યાન કરી અને શ્રી સૂક્તનો પાઠ કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


Hastrekha: ભાગ્યશાળીઓના હાથમાં હોય છે વિષ્ણુ રેખા, વાળ પણ વાંકો કરું શકતું નથી કોઇ
આ 5 વાસ્તુ ટિપ્સ દૂર કરશે આર્થિક તંગી, ચમકશે જશે ભાગ્ય, ધનના થશે ઢગલા
દેવું વધી રહ્યુ હોય અને વેપારમાં મંદી હોય તો ગુરૂવારે કરો આ ઉપાય, આખી બાજી ફરી જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube