Bhadra Rajyog 2024: જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક ગ્રહનું પોતાનું અલગ મહત્વ છે. આ દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોનું રાશિ પરિવર્તન બધી જ રાશિઓને અસર કરે છે. આ ક્રમમાં હવે સપ્ટેમ્બર મહિનામાં બુદ્ધિ અને જ્ઞાન આપનાર બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. જેના કારણે ત્રણ રાશિના લોકોના જીવનમાં સુખદ પરિવર્તન આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગણપતિજીના આ 3 મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત, પૂજા કરનારની મનોકામના 100 ટકા થાય પુરી


બુધ ગ્રહ 23 સપ્ટેમ્બરે સ્વરાશિ કન્યામાં પ્રવેશ કરશે. સ્વરાશિ કન્યામાં બુધ ગ્રહના પ્રવેશથી ભદ્ર મહાપુરુષ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગના કારણે ત્રણ રાશિના લોકોને વિશેષ લાભ થતો જોવા મળશે. આ ત્રણ રાશીના લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલી શકે છે આ સમય દરમિયાન તેમને બેશુમાર ધનની પ્રાપ્તિ થશે. 


આ પણ વાંચો: 208 દિવસ સુધી આ 3 રાશિવાળા પર શનિદેવની કૃપા રહેશે, રાજયોગના કારણે દરેક કાર્ય થશે સફળ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભદ્ર મહાપુરુષ રાજયોગનો સંબંધ બુધ ગ્રહથી છે. ભદ્ર રાજ્યોગને પંચ મહાપુરુષ રાજયોગમાંથી એક માનવામાં આવે છે. આ યોગના કારણે વ્યક્તિને જીવનમાં જ્ઞાન અને અપાર ધન મળે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે મેષથી લઈને મીન સુધીની 12 રાશિમાંથી કઈ ત્રણ રાશિને ભદ્ર રાજયોગ લાભ કરાવશે. 


ભદ્ર રાજયોગથી આ ત્રણ રાશિને થશે ફાયદો 


આ પણ વાંચો: ગણેશજીને પ્રિય છે આ 3 રાશિઓ, આ ગણેશ ચતુર્થી પર થશે વિશેષ કૃપા, ધનમાં થશે વધારો


કન્યા રાશિ 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભદ્ર રાજયોગ કન્યા રાશિના લોકોને લાભ કરાવશે. આ સમય દરમિયાન વ્યક્તિત્વમાં નિખાર આવશે. રોકાણ માટે પણ સારો સમય. સમયે સમયે ધન લાભના યોગ બનશે. આવકમાં વૃદ્ધિ થશે. પરિણીત લોકોનું જીવન સુખમય રહેશે. અવિવાહીતોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. 


આ પણ વાંચો: 6 સપ્ટેમ્બરથી 3 રાશિઓ માટે શુભ સમય શરૂ, મંગળના આદ્રામાં નક્ષત્રમાં પ્રવેશથી થશે લાભ


વૃષભ રાશિ


ભદ્ર રાજયોગ આ રાશિના લોકો માટે પણ શુભ સાબિત થશે. સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. કાર્યોમાં સફળતા મળશે. આકસ્મિક ધન લાભ થશે. વ્યવસાયિક ક્ષેત્ર નફો વધશે. જે કામ અટકેલા હતા તે પણ પુરા થવા લાગશે. આ સમય દરમિયાન પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પગાર વધારો થવાની પણ પ્રબળ સંભાવના.


આ પણ વાંચો: પૂજામાં રોજ ઘંટડી વગાડનારાઓ પણ આ રહસ્યથી હશે અજાણ, મનોકામના પૂર્ણ કરી શકે છે આ ઘંટડી


સિંહ રાશિ 


સિંહ રાશિના લોકોને પણ ભદ્ર રાજયોગ લાભ કરાવનાર સિદ્ધ થશે. આ સમય દરમિયાન ભાગ્યનો સાથ મળશે. નોકરી કરતા લોકો માટે પણ સમય અનુકૂળ. આવકના નવા રસ્તા ખુલશે. અટકેલા પૈસા પાછા મળશે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)