Budh Gochar 2023: ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ સાત ફેબ્રુઆરી એટલે કે આજે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. સવારે 7:00 કલાક અને 11 મિનિટે બુધ ગ્રહ એ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. જેના કારણે આજથી રાશિ ચક્ર ની પાંચ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ છે. આગામી એક મહિના સુધી બુધ ગ્રહ આ રાશિના લોકોને ચારે તરફથી સફળતા જ સફળતા અપાવશે. ચાલો જાણીએ કઈ છે આ પાંચ રાશિ જેના માટે આગામી સમય સુવર્ણ સમય રહેવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ 
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકોને આગામી સમય દરમિયાન લાભ પ્રાપ્ત થશે. કર્મભાવમાં એટલે કે દસમા ભાવમાં બુધનું ગોચર થયું છે જેના કારણે આ રાશિના જાતકોની વાણીમાં મધુરતા આવશે અને કાર્યક્ષેત્રમાં અધિકારીઓ તેમજ સહકાર્યો સાથે તાલમેલ સારો રહેશે. આ લોકોના કામની પ્રશંસા થશે. પરિવાર સાથે સંબંધોમાં સુધારો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે આ સમય દરમિયાન બિઝનેસ કરતા લોકોને પણ ધનલાભ થઈ શકે છે.


આ પણ વાંચો :


આ વિધિ વિના પૂર્ણ નથી ગણાતા લગ્ન, પછી જ વર-કન્યાને માનવામાં આવે છે 'પતિ-પત્ની'


જે ઘરની મહિલાઓમાં હોય છે આ 5 ગુણ તે ઘરની સુખ-સમૃદ્ધિને નથી લાગતી કોઈની નજર


વૃષભ 
બુધનું ગોચર નવમભાવમાં થયું છે જેના કારણે આ રાશિના જાતકોનું અટકેલું ધન પરત મળશે. આ સમય દરમિયાન રોકાણ કરવાથી પણ લાભ થઈ શકે છે જો કે રોકાણ સમજી વિચારીને કરવું જરૂરી છે. આ સમય દરેક દ્રષ્ટિએ અનુકૂળ રહેશે જે લોકો નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારે છે તેમના માટે સારો સમય છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ છે.


કર્ક 
કર્ક રાશિ ના જાતકોને પણ આ સમય દરમિયાન શુભ ફળની પ્રાપ્તિ થશે.બુધ ગ્રહનું ગોચર સત્તમ ભાવમાં થયું છે જેના કારણે બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધોમાં સુધારો થશે આ સમય દરમિયાન જે કોઈ સમસ્યાઓ ચાલી રહી હતી તેનું સમાધાન પણ મળવા લાગશે દરેક ક્ષેત્રમાંથી સફળતા પ્રાપ્ત થશે જીવનસાથી સાથે સાથેના સંબંધોમાં પણ સુધારો થશે.


આ પણ વાંચો :


રાશિફળ 07 ફેબ્રુઆરી: સિંહ સહિત આ 4 રાશિના જાતકો પર ભાગ્ય રહેશે મહેરબાન


Rose Day: રોઝ ડે સ્પેશિયલ, રાશિ અનુસાર આપો ગુલાબ અને ગિફ્ટ, ખુબ ચઢશે પ્રેમનો રંગ


કન્યા 
કન્યા રાશિના જાતકોના પંચમ ભાવમાં બુધનું ગોચર થયું છે. જેના કારણે આ રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થશે. શિક્ષા ક્ષેત્રે સુધારો થશે અને સંતાન સાથેના સંબંધો પણ સુધરશે. અભ્યાસમાં બાળકોનું મન લાગશે અને જીવનસાથી સાથેના સંબંધોમાં પણ સુધારો થશે.


તુલા
તુલા રાશિ ના જાતકોના ચોથા ભાવમાં એટલે કે માતાના ભાવમાં આ ગોચર થયું છે જેને જ્યોતિષ શાસ્ત્રીઓ અનુકૂળ કહે છે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને તેના કર્મનું ફળ મળશે અને તેઓ ભવિષ્યને ઉજવળ બનાવી શકશે. પરિવાર કામ અને નોકરીમાં આગળ વધવાની તક મળશે. પારિવારિક સંબંધોમાં સુધારો થશે અને આ સમય દરમિયાન નવી પ્રોપર્ટી પણ ખરીદી શકાય છે.