નવી દિલ્લીઃ આચાર્ય ચાણક્ય પાટલીપુત્ર જેને હવે પટના ના નામથી જાણવામાં આવે છે ના મહાન વિધવાન હતા. ચાણક્ય ને એમના ન્યાયપ્રિય ના આચરણ માટે જાણવામાં આવતા હતા. એટલા મોટા સામ્રાજ્ય ના મંત્રી હોવા છતાં તે એક સાધારણ ઝૂંપડી માં રહેતા હતા. એમનું જીવન ખૂબ સાદું હતું. ચાણક્ય એ પોતાના જીવનમાં મળેલા અનુભવ ને ચાણક્ય નીતિ માં જગ્યા આપી છે. ચાણક્ય નીતિ માં ઘણી એવી વાતો બતાવામાં આવી છે. આચાર્ય ચાણક્યની નીતિશાસ્ત્ર આજના યુગમાં પણ ઉપયોગી માનવામાં આવે છે. કળિયુગમાં પણ ઘણા લોકો ચાણક્યના આદર્શોને અનુસરે છે. તે જ સમયે, તેઓ એ જે કહ્યું તે અનુસરીને તેઓ જીવનમાં આગળ વધી રહ્યા છે. ચાણક્ય અનુસાર 4 એવા કામ છે જેમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ આગળ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના પર વ્યક્તિ અમલ કરે તો એને સફળ થવાથી કોઈ નહીં રોકી શકે. સફળતા નિશ્ચય એના કદમ ચુમશે. જો વ્યક્તિ એ વાતનો પ્રયોગ પોતાના નીજી જીવનમાં કરે તો તો એને ક્યારે પણ હારનો સામનો નહીં કરવો પડે. આ નીતિઓ માં સુખી જીવન નો રાજ છુપાયેલો છે. નીતિઓ માં બતાવેલી વાતો તમને કડવી લાગી શકે છે પણ એ બિલકુલ સાચું છે. ચાણક્ય નીતિ ના અનુસાર 4 એવા કામ છે જેમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ આગળ છે. ચાણક્ય નીતિ અનુસાર આ વિશે જાણો. ચાણક્ય નીતિ શ્લોકઃ
ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય એ આ શ્લોકનો ઉલ્લેખ કર્યો છે 'તૃણમ દિવગુણ અહરો બુદ્ધિસ્તાસન ચતુર્ગુણ સહસમ ષડગુણમ ચૈવ કમોષ્ટગુણ ઉચ્યેત'. આ શ્લોકમાં ચાણક્યએ સ્ત્રીઓ ના ચાર ગુણો વિશે જણાવ્યું છે. આ ગુણધર્મો નીચે મુજબ છે. ભૂખઃ
આ શ્લોક અનુસાર મહિલાઓ ને પુરૂષો કરતા બમણી ભૂખ લાગે છે. સ્ત્રીઓ ને પુરૂષો કરતાં વધુ ઊર્જાની જરૂર હોય છે. વાસ્તવમાં તેઓ પુરુષો કરતા વધુ કામ કરે છે, તેથી તેમને વધુ ભૂખ લાગે છે.

બુદ્ધિમત્તાઃ
બુદ્ધિમત્તાની બાબતમાં મહિલાઓ પુરુષો કરતા ઘણી આગળ છે. સ્ત્રીઓમાં વધુ બુદ્ધિ હોય છે. પુરુષો ક્યારેય આવેગથી ખોટો નિર્ણય લે છે. જ્યારે સ્ત્રીઓ મોટાભાગના કામ સમજદારીથી કરે છે.   હિંમતઃ
ચાણક્ય આ શ્લોક દ્વારા કહે છે કે સ્ત્રીઓ શારીરિક શક્તિમાં પુરૂષો કરતા ભલે નબળી હોય, પરંતુ તેમની પાસે અદમ્ય હિંમત હોય છે. મહિલાઓ પોતાની હિંમતના બળ પર દરેક સંકટ સામે લડવામા સક્ષમ છે. જાતીયતાઃ
ચાણક્ય નીતિના આ શ્લોક અનુસાર મહિલાઓમાં પુરૂષો કરતાં 8 ગણો વધુ કામુકતા હોય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ કામુકતા હોય છે. જો કે, તેઓ તેમની લાગણીઓ જાહેર કરતા નથી.