નવી દિલ્લીઃ શાસ્ત્રોમાં ચતુર્માસનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ 4 મહિના માટે ક્ષીરસાગરમાં પોઢવા માટે પધારે છે. જેના કારણે કોઈ પણ મંગલ કાર્યો નથી થતા. એટલે કે આજથી 4 મહિના સુધી લોકો સારા કામ કરવાનું મુલ્તવી રાખે છે. પરંતુ આ ત્રણ રાશિના જાતકો માટે ચતુર્માસ મંગલકારી સાબિત થઈ શકે છે. કારણકે તેમને આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિઃ
ચતુર્માસ તમારા માટે લાભકર્તા સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને સારી નોકરી મળવાની સંભાવના છે. જો તમે ક્યાંક નોકરી કરી રહ્યા છો, તો તમારી પદોન્નતી થઈ શકે છે. સફળતાના નવા રસ્તા ખુલી શકે છે. કારોબારનો વિસ્તાર થઈ શકે છે. જો તમારો વેપાર વિદેશ સાથે જોડાયેલો છે તો, તમને સારો લાભ થઈ શકે છે. આ ચતુર્માસ દરમિયાન તમે મૂંગા રત્ન ધારણ કરી શકો છો. જે તમારા માટે લાભકર્તા સાબિત થશે.


કન્યા રાશિઃ
ચતુર્માસની શરૂઆતના દિવસોમાં તમારા જીવનમાં બદલાવ જોવા મળશે. સાથ જ આ સમયે નસીબ પણ તમને સાથ આપશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. આકસ્મિક ધનલાભ થવાના પણ સંયોગ છે. આ ચતુર્માસ દરમિયાન કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદીની સંભાવના છે. મીડિયા, ફિલ્મ લાઈન, માર્કેટિંગ સાથે જોડાયેલી ફિલ્ડના લોકો માટે પણ લાભદાયી નીવડશે. આ દરમિયાન એક પન્ના રત્ન ધારણ કરી શકો છો, જે તમારા માટે લકી સ્ટોન સાબિત થઈ શકે છે.


વૃશ્ચિક રાશિઃ
તમારા માટે ચતુર્માસ શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને બિઝનેસ અને કરિયરમાં શાનદાર સફળતા હાંસિલ થશે. સાથે જ લવ લાઈફ અને વૈવાહિક જીવનમાં મધુરતા ભળશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થવાની સંભાવના. બિઝનેસમાં સારો નફો મળશે. સાથે જ નવા ઓર્ડર પણ પ્રાપ્ત થવાની સંભાવના.