Shani Dev In Kumbh: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક સમયચક્ર પૂરું થયા બાદ ગ્રહ રાશિ પરિવર્તન કરતા હોય છે. આ દિવાળીએ એટલે કે 12 નવેમ્બરે એક વિશેષ યોગ બન્યો છે. શનિદેવે કુંભ રાશિમાં શશ મહાપુરુષ રાજયોગ બનાવ્યો છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સૌથી શક્તિશાળી યોગ માનવામાં આવે છે. દિવાળીના દિવસે આયુષ્યમાન યોગ પણ બન્યો છે. આ યોગોના કારણે ત્રણ રાશિઓને ખુબ લાભ મળવાનો છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિ માટે આ યોગ ભાગ્યશાળી સાબિત થશે. આ લોકોને આર્થિક લાભ મળશે. જો ક્યાંક પૈસા રોકાયેલા છે તો લાભ મળશે. મેષ રાશિવાળા શેર માર્કેટમાં સલાહ મુજબ પૈસા રોકાણ કરશે તો તેમને સારો એવો લાભ થશે. આ સાથે જ તેમના વ્યવહારથી દરેક લોકો પ્રભાવિત થશે. 


મિથુન રાશિ
આ લોકોને ભાગ્ય ખુલવાનું છે. અનેક એવી ચીજો બનશે જેના કારણે જીવનમાં ખુશીઓ આવશે. મિથુન રાશિનો કારોબાર ખુબ ઝડપથી આગળ વધવાનો છે. નોકરી કે બિઝનેસમાં મહેનતના કારણે વ્યક્તિની અલગ ઓળખ બનશે. આખા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર બનેલો રહેશે. જેના કારણે વ્યક્તિનું મગજ શાંત રહેશે. 


મકર રાશિ
આ લોકોની પર્સનલ લાઈફ સારી રહેવાની છે. ધનની પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે. અટવાયેલા તમામ કામ બનશે. જીવનસાથી સાથે સારા સંબંધ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જૂના રોગોથી મુક્તિ મળશે. મકર રાશિવાળાઓએ આ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવા પડી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube