Guruwar Astro Tips: જ્યોતિષશાસ્ત્રમાં જે રીતે સપ્તાહના દરેક દિવસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તેવી જ રીતે કેટલાક કાર્યો વિશે પણ જણાવાયું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક ખાસ દિવસે ઘરના કેટલાક કામ કરવાની મનાઈ હોય છે. જો આ કામ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. ગુરૂવારના દિવસે કેટલાક કામ કરવાની મનાઈ શાસ્ત્રોમાં કરવામાં આવી છે. ગુરૂવારના દિવસે વાળ ધોવા, નખ કાપવા અને કપડાં ધોવાની મનાઈ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શનિની રાશિમાં શુક્ર મચાવશે ધમાલ, મેષ સહિત 4 રાશિના જીવનમાં થશે ધન, પ્રેમની એન્ટ્રી


શાસ્ત્રો અનુસાર જો આ ત્રણ વાતનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. આ કાર્ય ગુરુવારે જો કરવામાં આવે તો જીવનમાં સમસ્યાઓ વધે છે. તેવામાં તમને પણ મનમાં પ્રશ્ન ચોક્કસથી થતો હશે કે ગુરુવારે આ કામ કરવાની મનાઈ શા માટે હોય છે ? તો ચાલો તમને આજે જણાવીએ કે ગુરુવારે આ કામ શા માટે ન કરવા અને કરવાથી શું નુકસાન થાય.


ગુરુવારે કપડા ન ધોવાનું કારણ


આ પણ વાંચો: દૈનિક રાશિફળ 7 માર્ચ: પરિવારમાં પ્રેમ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે, આર્થિક પ્રગતિ થશે


જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને સુખ સમૃદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે કપડાં ધોવાનું કામ શનિ સંબંધિત હોય છે. તેથી ગુરૂવારના દિવસે કપડાં ધોવાથી મહિલાઓને અશુભ પરિણામનો સામનો કરવો પડે છે. ગુરૂવારના દિવસે ઘરમાં ક્યારેય સાફ-સફાઈ કરીને ગંદકી પણ બહાર કાઢવી નહીં. સાથે જ ગંદા કપડાને ધોવાની પણ મનાઈ હોય છે જેથી ગંદુ પાણી પણ ઘરની બહાર ન જાય. 


આ પણ વાંચો: હોળીના દિવસે કરી લો આમાંથી કોઈ એક ઉપાય, ધન-સમૃદ્ધિ વધશે અને રોગ-દુઃખોથી મળશે મુક્તિ


નખ, વાળ અને દાઢી ન કરવી


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે દાઢી કરાવવી, નખ કાપવા કે વાળ કાપવાની પણ મનાઈ હોય છે. આ ત્રણમાંથી કોઈ પણ કામ ગુરુવારે કરવામાં આવે તો બૃહસ્પતિ પ્રભાવિત થાય છે અને કુંડળીમાં તે નબળો બની જાય છે જેની અસર વ્યક્તિના જીવન પર પણ જોવા મળે છે. 


આ પણ વાંચો: જેની કુંડળીમાં આ બે ગ્રહ હોય શુભ તો વ્યક્તિ રમે છે સોના-ચાંદીમાં, ઝડપથી મળે સફળતા


શાસ્ત્રો અનુસાર ગુરૂવારના દિવસે જો કપડાં ધોવામાં આવે તો વ્યક્તિને જીવનમાં અલગ અલગ સમસ્યાનો સામનો કરવો પડે છે. જે લોકો ગુરૂવારના દિવસે કે રાત્રે કપડાં ધોવે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહેતી નથી આવા લોકોને પૈસાની તંગીનો સામનો હંમેશા કરવો પડે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)