Dhan Labh Upay: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનના દેવી કહેવાય છે. જેના ઉપર માતા લક્ષ્મીની કૃપા હોય છે તેના જીવનમાં ધન ધાન્ય ની ખામી રહેતી નથી. માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. પરંતુ જો કોઈ ભૂલ કરવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને વ્યક્તિ કંગાળ પણ થઈ જાય છે. માતા લક્ષ્મી નારાજ થાય તો વ્યક્તિને ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરેક ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટો પૂજા માટે રાખવામાં આવે છે. પરંતુ કેટલીક વખત આ મૂર્તિ અથવા તો ફોટો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રાખવામાં આવતો નથી. તેવામાં વ્યક્તિને શુભ ફળ મળવાને બદલે અશુભ ફળ મળે છે. જો મૂર્તિને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો વાસ્તુશાસ્ત્રના આ નિયમોને ધ્યાનમાં રાખીને માતા લક્ષ્મીની મૂર્તિ રાખવામાં આવે તો વ્યક્તિ રાતોરાત ધનવાન બની શકે છે. 


આ પણ વાંચો:


ઓક્ટોબર મહિનાનું પહેલું અઠવાડિયું કઈ રાશિઓ માટે છે શુભ, જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ


લોટનો દીવો કરવો લાભકારી, 11 દીવાનો આ ટોટકો કરવાથી ઘરમાં રહે છે સુખ-શાંતિ અને વધશે ધન


ઘરની આ જગ્યામાં પિતૃ કરે છે વાસ, પિતૃ પક્ષ દરમિયાન ઘીનો દીવો કરવાથી તૃપ્ત થશે પૂર્વજ


1. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માતા લક્ષ્મીની તસવીર અથવા તો મૂર્તિ હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. આ દિશામાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે.


2. શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મી નો સ્વભાવ ચંચળ હોય છે તેથી તેઓ એક સ્થાન પર રહેતા નથી. તેવામાં જો ઘરમાં તમે માતા લક્ષ્મી ઊભા હોય તેવી મૂર્તિ લગાવશો તો ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નહીં થાય. ઘરમાં એવી તસવીર જ લગાવી જેમાં માતા લક્ષ્મી બેઠા હોય. 


3. આ સિવાય ઘરમાં માતા લક્ષ્મીની એવી મૂર્તિ અથવા તો તસવીર ન રાખો જેમાં તેમનું વાહન ઘુવડ દેખાતું હોય. આવી તસવીર ઘરમાં રાખવાથી આર્થિક સ્થિતિ નબળી થાય છે.


4. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશા પિતૃઓની દિશા હોય છે. આ દિશામાં પણ માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટો ક્યારેય ન રાખવો.


5. ઘરમાં એવી તસ્વીર લગાવી જોઈએ જેમાં માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે હોય અથવા કમલ પર બિરાજમાન હોય. ગણેશજી સાથે માતા લક્ષ્મી હોય તેવી તસ્વીરની પૂજા માત્ર દિવાળીના દિવસે કરવામાં આવે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)