Malmas 2023: મલમાસ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. મલમાસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે, આ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. મલમાસ 18 જુલાઈથી શરૂ થઈ છે અને તે 16 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. કહેવાય છે કે મલમાસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકા અને કેનેડા કરતાં આ દેશો છે ગુજરાતીઓ માટે બેસ્ટ : સરળતાથી મળે છે એન્ટ્રી
બધુ ફેલ થઇ જાય તો વિક્રમ લેંડરનું ચંદ્ર પર કેવી રીતે થશે લેન્ડીંગ? ISRO એ આપ્યો જવાબ


મલમાસ દરમિયાન કેટલાક ઉપાય કરવા પણ ખૂબ જ શુભ અને ફળદાયી હોય છે. કહેવાય છે કે આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. ચાલો જાણીએ મલમાસ વખતે કયા ઉપાય કરવા જોઈએ.


આ કામ મલમાસ મહિનામાં કરો
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મલમાસમાં દાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુની સાથે તમામ દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.


તમારા પાર્ટનરની હથેળીમાં અર્ધચંદ્ર હોય તો સુધરી જશે તમારું જીવન, આવા હોય છે ગુણ
Itchy Eyes: આંખોને વારંવાર મસળવાથી થાય છે આ નુકસાન, ઘરેલુ વસ્તુઓથી દૂર કરો ઇચિંગ


- મલમાસ અથવા પુરુષોત્તમ મહિનામાં ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે, વ્યક્તિએ સંપૂર્ણ વિધિપૂર્વક દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને દરરોજ સ્નાન વગેરે કર્યા પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ.


શું ખરેખરમાં પાણીપુરી ખાવાથી મોંઢાના ચાંદા ઠીક થઇ જાય છે? આ છે સાચો જવાબ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ


- કહેવાય છે કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે અને તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી જ મલમાસ અથવા પુરુષોત્તમ મહિનામાં ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની પૂજા કરવી જોઈએ. તુલસીની પૂજા કર્યા પછી તુલસીની માટીનું તિલક લગાવવાથી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલે છે.


- મલમાસ કે પુરુષોત્તમ માસ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી છે. એવું કહેવાય છે કે આના પાઠ કરવાથી મોક્ષ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને સમૃદ્ધિ આવે છે.


આગામી 55 દિવસ સુધી શુક્ર કરશે આ 5 રાશિવાળાઓ પર ધન વર્ષા, આપશે લક્સરી લાઇફ, વૈભવ!
ઓક્ટોબર સુધી આ રાશિઓ પર રહેશે રાહુની અસીમ કૃપા, પ્રાપ્ત થશે શુભ સમાચાર


મલમાસ અથવા પુરુષોત્તમ માસમાં તુલસીની માળા લઈને ભગવાન વિષ્ણુના મંત્ર 'ઓમ નમો ભગવતે વાસુદેવાય'નો જાપ કરવો શુભ છે. તેનાથી વ્યક્તિની દરેક ઈચ્છા પૂરી થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


Good Luck Tips: ઓશિકાની નીચે આ વસ્તુઓ રાખીને ઉંઘશો તો ચમકી જશે કિસ્મત, નોકરીનું વિઘ્ન થશે દૂર
Skin Care Mistakes: 5 મોટી ભૂલો જેનાથી છિનવાઇ જાય છે ચહેરાની રંગત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube