Mangalwar Ke Upay: સનાતન ધર્મમાં, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના વિશિષ્ટ અને સર્વોચ્ચ ભક્ત હનુમાનજીની મંગળવારે પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં એવું સૂચિત છે કે જે ભક્તો હનુમાનજીની પૂજા કરે છે તેમને શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન મળે છે. તેની સાથે જ તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. સાથે જ હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવની બાધા પણ દૂર થાય છે. જો તમે પણ શનિની બાધાઓથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો મંગળવારે આ ખાસ ઉપાયો અવશ્ય કરો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


22 એપ્રિલે ગુરુ કરશે મેષ રાશિમાં પ્રવેશ, જાણો 12 રાશિના જાતકો પર કેવો પડશે પ્રભાવ


Chanakya Niti: આ 5 ગુણ ધરાવતી મહિલાઓના સાસરામાં હંમેશા રહે છે સુખ-સમૃદ્ધિ


Shani Jayanti 2023: શનિ જયંતિ પર આ વિધિથી કરો પૂજા અને વ્રત, કરજથી મળશે મુક્તિ


મંગળવારના ઉપાય


- જો ઘરમાં નકારાત્મક શક્તિઓનો જમાવડો હોય અથવા કોઈની નજર તમારી ઉપર પડી હોય તો મંગળવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી દોરા પર ઉપર ચાર મરચાં અને નીચે ત્રણ મરચાં અને વચ્ચે લીંબુ ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો.  આ ઉપાય કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. તેની સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.


- જો ઘરમાં કોઈ વ્યક્તિને નજર લાગી ગઈ હોય તો મંગળવારે કાળા તલ, જવનો લોટ અને તેલ મિક્સ કરીને લોટ બાંધવો. હવે લોટની રોટલી બનાવો અને તેના પર તેલ લગાવો. આ પછી જે વ્યક્તિને ખરાબ નજર લાગે છે તેના માથામાંથી સાત વાર ગોળ ગોળ ફેરવીને ભેંસને ખવડાવો. આ ઉપાય કરવાથી દુષ્ટ શક્તિ દૂર થાય છે.


- શનિના અવરોધને કારણે કરિયરમાં મુશ્કેલી આવી રહી હોય તો દર મંગળવારે હનુમાન મંદિરના દર્શન કરો. આ સાથે વિધિવત પૂજા કર્યા પછી દીવો પ્રગટાવો. આ પછી દીવાની સામે બેસીને સુંદરકાંડનો પાઠ કરો. આ ઉપાય ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી કરો. આનાથી સાધકને ઈચ્છિત ફળ મળે છે.


- જો તમે ઈન્ટરવ્યું આપવા જઈ રહ્યા છો તો હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ દિવસે પૂજા કરવાથી અને ઈન્ટરવ્યુ માટે જવાથી પસંદગી થવાની સંભાવના વધી જાય છે. તેમજ તમામ પ્રકારના ભયથી મુક્તિ મળે છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)