Pitru Paksha Daan: 29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરુઆત થઈ ચુકી છે. આ સમય દરમિયાન પરિવારના પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. જેથી તેમના આશીર્વાદ પરિવાર પર હંમેશા રહે. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. સાથે જ પૂર્વજો પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આ સમય દરમિયાન દાન કરવાથી પણ પુણ્ય ફળ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તેઓ જો ભાદરવામાં કેટલીક વસ્તુઓનું દાન કરે તો તેમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ કઈ વસ્તુઓ છે જેનું દાન પિતૃ પક્ષમાં કરવું લાભકારી ગણાય છે. 


આ પણ વાંચો:


આગામી 15 દિવસ આ 5 રાશિઓ માટે હશે લાભકારી, પિતૃઓની કૃપાથી દરેક ઈચ્છા થશે પુરી


નવેમ્બરમાં આ 2 ગ્રહોની યુતિના કારણે 4 રાશિના લોકો થશે માલામાલ, ચારેતરફથી મળશે ધન


નવેમ્બરની શરુઆતમાં થશે મહાગોચર, દિવાળી પહેલા આ રાશિઓ પર શનિ કરશે ધન વર્ષા


ગાયનું દાન


હિંદુ માન્યતાઓ અનુસાર પિતૃ પક્ષ દરમિયાન ગાયનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ગાયનું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. ગાયનું દાન કરવાથી પિતૃઓને શ્રી હરિના ચરણોમાં સ્થાન મળે છે. 


ગાયના ઘીનું દાન


પિતૃપક્ષ દરમિયાન ગાયના ઘીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. એટલું જ નહીં જેમની કુંડળીમાં પિતૃદોષ હોય તેઓ ગાયના ઘીનું દાન કરે તો લાભ થાય છે.


ગોળનું દાન


પિતૃ પક્ષ દરમિયાન ગોળનું દાન કરવું પણ શુભ ગણાય છે. આમ કરવાથી પારિવારિક જીવન સુખી રહે છે. ગોળનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે અને તેમના આશીર્વાદ મળે છે.


આ પણ વાંચો:


Pitru Paksha 2023: 29 સપ્ટેમ્બરથી શરુ થશે પિતૃ પક્ષ, જાણો કયુ શ્રાદ્ધ કયા દિવસે આવશે


15 ઓક્ટોબર સુધી આ 5 રાશિઓને હશે જલસા, વક્રી શનિ અપાવશે ધન અને માન-સન્માન


Rajyog: રાજયોગ સાથે જન્મે છે આ 4 રાશિના લોકો, જીવનમાં ભોગવે છે દરેક પ્રકારના સુખ


ચોખા અને તલનું દાન


પિતૃ દોષ દુર કરવા માટે પિતૃ પક્ષ દરમિયાન ચોખા, તલ અને ઘઉંનું દાન કરવું જોઈએ. તેનાથી પિતૃદોષ દુર થાય જ છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે.


સોનાનું દાન


હિંદુ ધર્મ અનુસાર પિતૃ પક્ષ દરમિયાન સોનાનું દાન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર યથાશક્તિ સોનું દાન કરવાથી પરિવારના સભ્યોની સમસ્યાઓ દુર થાય છે અને ખુશીઓ વધે છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)