Effect of Pancha Yog on Zodiac Signs: વૈદિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમામ 9 ગ્રહ સમયાંતરે પોતાની કક્ષા અને ચાલ બદલે છે. અનેકવાર તેઓ એકલા જ કોઈ રાશિમાં પ્રવેશ કરે છે તો ક્યારેક અન્ય ગ્રહો સાથે યુતિ કરે છે. આ પ્રકારની યુતિ અનેકવાર જાતકોને પુણ્યફળ પ્રદાન કરનારા હોય છે. તો કેટલીકવાર તેમના માટે મુશ્કેલીઓનું કારણ બની જાય છે. આ વખતે 19 ફેબ્રુઆરીથી શશ, જયોષ્ઠ, શંખ, સર્વાર્થસિદ્ધિ અને કેદાર મળીને 5 યોગ બનેલા છે. આ 5 મહાયોગનો દુર્લભ સંયોગ 70 વર્ષ બાદ જોવા મળી રહ્યો છે. જેના ફળસ્વરૂપ 4 રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે અને તેમના ઘરમાં ધન-દૌલત છલકાશે. જાણો આ 4 રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચ મહાયોગોથી રાશિઓને લાભ


કુંભ રાશિ
પાંચ મહાયોગનો આ દુર્લભ સંયોગ તમારા માટે ખુબ ભાગ્યશાળી સાબિત થવાનો છે. પાર્ટનરશિપમાં કરાયેલા બિઝનેસમાં તમને ફાયદો થશે. જે લોકો નવો વેપાર શરૂ કરવાનો વિચારતા હોય તમને સારો રિસ્પોન્સ મળશે અને તેઓ સારા લાભ કમાશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. પાર્ટનર સાથે સારો સમય વિતશે. 


સિંહ રાશિ
તમારું કૌટુંબિક જીવન સુખમય રહેશે. કરિયરની ગાડી પણ તેજ ભાગશે. નવી જોબ  ઓફર મળી શકે છે. તમારા અટકેલા કામ પૂરા થશે, પૈસા સંલગ્ન મુશ્કેલીઓ દૂર થશે. તમે આ શુભ સમયમાં જે પણ કામ શરૂ કરશો તેમાં ફાયદો થશે. પરિવારજનોનો સહયોગ મળશે. 


ધનુ રાશિ
નોકરી કરી રહેલા લોકોને ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળવાના યોગ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પોતાના કામમા સફળતા મળી શકે છે. ઘરમાં વાહન કે નવી સંપત્તિનું આગમન થઈ શકે છે. બિઝનેસમાં તમને અનેક નવી ડીલ હાથ લાગી શકે છે. 


મિથુન રાશિ
કાર્યસ્થળ પર તમને સહયોગીઓ અને વરિષ્ઠોનો પૂરેપૂરો સહયોગ મળશે. તમારી મહેનત જોતા કોઈ મોટી જવાબદારી મળી શકે છે. વેપાર કરી રહેલા લોકો કોઈ નવી ભાગીદારીની શરૂઆત કરી શકે છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. પરિવારની સાથે ક્યાંક બહાર મુસાફરીનું પ્લાનિંગ કરી શકો છો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)