પુરી થઈ સૂર્ય-શનિની યુતિ, આ રાશિના લોકો માટે શરુ થયો સારો સમય, હવે થશે ભાગ્યોદય
Surya Shani Yuti 2023: રાહતની વાત એ છે કે સૂર્ય અને શનિની યુતિ હવે સમાપ્ત થઈ છે. આ યુતિ સમાપ્ત થતા જે રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ આવી રહી હતી તે હવે દૂર થઈ જશે. સૂર્ય અને શનિની યુતિ પૂર્ણ થતા ત્રણ રાશિના લોકોના જીવનમાં શુભ અસર જોવા મળશે.
Surya Shani Yuti 2023: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને શનિને પ્રબળ સ્થાન પ્રાપ્ત થયું છે. બંને ગ્રહની વ્યાપક અસર દરેક રાશિના જાતકોના જીવન પર જોવા મળે છે. એક નિશ્ચિત સમય અંતરાલ દરમિયાન બંને ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જ્યારે પણ આ ગ્રહોનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં તેનો સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારનો પ્રભાવ જોવા મળે છે. ખાસ કરીને જ્યારે આ બંને ગ્રહોની યુતિ સર્જાય છે ત્યારે જાતકના જીવનમાં ઉથલપાથલ સર્જાઈ જાય છે. પરંતુ રાહતની વાત એ છે કે સૂર્ય અને શનિની યુતિ હવે સમાપ્ત થઈ છે. આ યુતિ સમાપ્ત થતા જે રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ આવી રહી હતી તે હવે દૂર થઈ જશે. સૂર્ય અને શનિની યુતિ પૂર્ણ થતા ત્રણ રાશિના લોકોના જીવનમાં શુભ અસર જોવા મળશે. આ રાશિના લોકોને ધન લાભ પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે તે ભાગ્યશાળી રાશિ કઈ છે.
આ પણ વાંચો:
મંગળવારે ભુલથી પણ ન કરતાં આ 5 કામ, બજરંગ બલી થાય છે નારાજ અને ઘરમાં વધે છે સમસ્યાઓ
સપનામાં વારંવાર દેખાય છે અલગ અલગ રીતે સાપ તો થઈ જજો સતર્ક, જાણો શું છે તેનો અર્થ
બજરંગબલીને ચોલા ચઢાવતી વખતે આ 5 નિયમનું કરવું જોઈએ પાલન, જાણો સાચી રીત
મેષ
સૂર્ય અને શનિની યુતિ સમાપ્ત થતા મેષ રાશિના જાતકોને લાભ થશે. કારણ કે શનિ ગ્રહ હવે ઉદય થયો છે અને સૂર્યથી અલગ. જેના કારણે આ રાશિના લોકોને લાભ પ્રાપ્ત થશે. સમાજમાં માન સન્માન અને યશ પ્રાપ્ત થશે. આ રાશિના વેપારીઓને ધન લાભ થઈ શકે છે. આ સમય દરમિયાન કરેલું રોકાણ પણ લાભકારી સાબિત થશે.
વૃષભ
સૂર્ય અને શનિની યુતિ સમાપ્ત થતા વૃષભ રાશિના લોકોને પણ લાભ પ્રાપ્ત થશે. શનિના ગોચરના કારણે આ રાશિના લોકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે જ વેપારીઓનું અટકેલું ધન પણ પરત પ્રાપ્ત થશે. આ રાશિના લોકોને આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના વધારે જોવા મળે છે. નોકરી શોધતા લોકોને પણ સારી તક મળી શકે છે.
કુંભ
સૂર્ય અને શનિની યુતિ પૂર્ણ થતાં કુંભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત કરાવશે. શનિ કુંભ રાશિના સ્વામી છે તો સૂર્ય ધનભાવમાં સ્થિત છે. તેથી આ રાશિના લોકોને પણ લાભ પ્રાપ્ત થવાનો છે. આ રાશિના વેપારી વર્ગને આર્થિક લાભ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન આ રાશિના લોકો વાહન તેમજ પ્રોપર્ટી પણ ખરીદી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)