Khodal maa : આવતીકાલથી નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ખોડિયાર માતાજી વિશે અનેક લોકવાયકા પ્રવર્તે છે. પરંતું શુ તમને ખબર છે કે મા ખોડિયારનો જન્મદિવસ ક્યારે થયો હતો કેવી રીતે તેમનું પ્રાગટ્ય થયું હતું. ખોડિયાર માતાનો જન્મ સાતમી સદીમાં મહા સુદ આઠમના દિવસે એક ચારણ પરિવારમાં થયો હોવાનું માનવામાં આવે છે. જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. મા ખોડિયારનું વાહન મગર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારણ પરિવારમાં જન્મ 
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી છે કે, ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં.


ગુજરાતના આ મંદિરમાં ખોડિયાર માતા આપે છે પરચો, દર વર્ષે વધે છે માતાજીનું ત્રિશૂળ


કેવી રીતે થયો ખોડિયાર માનો જન્મ
ભાવનગરના બોટાદ તાલુકાના રોહિશાળા ગામે મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમનાં પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝણાને લીધે લક્ષ્મીનો પાર નહોતો, પણ ખોળાનો ખુંદનાર નહોતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. તેથી એક દિવસ દુખી મામડિયાએ પોતાનુ માથુ વાઢવાનુ નક્કી કર્યું. આ સમયે ભગવાન શિવ પ્રસન્ન થયા. તેઓએ પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આ સાંભળીને મામડિયો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધાં. જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલી કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું. આ રીતે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે.


અંબાલાલ પટેલે કહ્યું, વાવાઝોડું તો આવશે જ, આ દિવસે અરબ સાગરમાં મોટી હલચલ થશે


આ રીતે વાહન મગર બન્યું 
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.


અંબાલાલ પટેલે કહ્યું, વાવાઝોડું તો આવશે જ, આ દિવસે અરબ સાગરમાં મોટી હલચલ થશે


અનેક લોકો કરે છે તેમની પૂજા 
ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાં રાવળ[પ્રજાપતી] આહિર, લેઉવા પટેલ, ભોઈ, ગોહિલ, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન અને રબારી તળપદા કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે.