Kesar ke upay: હિન્દુ ધર્મ અનુસાર ગુરૂવારનો દિવસ દેવગુરુ બ્રહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ધર્મ શાસ્ત્રમાં ગુરુવારના દિવસે કરવામાં આવતી પૂજામાં કેસરનો ઉપયોગ કરવાથી થતા ફાયદા વિશે જણાવ્યું છે. ગુરૂવારના દિવસે કેસરનો ઉપયોગ કરીને કેટલાક ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય ચમચી જાય છે. આ ઉપાયો કારકિર્દીમાં પ્રગતિ, વેપારમાં લાભ આપે છે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ ભરી દે છે. જો અનેક પ્રયત્ન કરવા છતાં તમને સફળતા નથી મળતી તો ભાગ્યનો સાથ મળે તે માટે એકવાર કેસરના અચૂક ઉપાય અજમાવી જુઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુવારે કરો કેસરના આ અચૂક ઉપાય


આ પણ વાંચો:


24 જૂને સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે બુધ, 14 દિવસ 5 રાશિઓના ઘરમાં થશે ધનના ઢગલા


શુક્ર-ચંદ્રની યુતિથી સર્જાયો કલાત્મક યોગ, આ રાશિના લોકોનું વધશે બેંક બેલેન્સ


જુલાઈ મહિનામાં દિવસ રાત રૂપિયા ગણવા રહેજો તૈયાર, આ 3 રાશિઓનું ચમકી જશે ભાગ્ય


લગ્નની બાધા દૂર કરવા


જો કોઈ વ્યક્તિના લગ્ન નક્કી થઈ શકતા ન હોય અને વારંવાર કોઈને કોઈ અડચણ આવતી હોય તો આ ઉપાય કરી શકાય છે. ગુરૂવારના દિવસે દૂધમાં કેસર મિક્સ કરી તુલસીનું પાન ઉમેરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આમ કરવાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને દાંપત્યજીવન પણ ખુશીઓથી ભરાઈ જાય છે. 


ગુડ લક માટે ઉપાય


જો તમને દરેક કાર્યમાં નિષ્ફળતા મળતી હોય, કોઈપણ કાર્યમાં ભાગ્ય સાથ ન આપતું હોય તો સૌભાગ્ય પ્રાપ્તિ માટે ગુરુવારના દિવસે કેસરનો આ સરળ ઉપાય કરી લેવો. ગુરુવારના દિવસે ચાંદીની વાટકીમાં કેસર રાખી તેમાં થોડું પાણી મિક્સ કરી તેનાથી ભગવાન વિષ્ણુને તિલક કરો. આમ કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને ભાગ્યનો સાથ મળે છે.


આર્થિક તંગી દૂર કરવા


આ સમસ્યા મોટાભાગના લોકોને સતાવે છે. દિવસ રાત મહેનત કરવા છતાં પણ ઘરમાં બે છેડા ભેગા થતા નથી. જો તમને પણ આ સમસ્યા નડતી હોય તો ગુરુવારના દિવસે કેસરનો આ અચૂક ઉપાય અજમાવી જુઓ. તેના માટે એક વાટકીમાં થોડું કેસર પાણીમાં ઘોળી અને તેનો છંટકાવ ઘરની તિજોરી પર કરો. દર ગુરુવારે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)