Vinayaka Chaturthi 2024: હિંદુ ધર્મમાં તમમા ચતુર્થી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જોકે દર મહિનાની કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર વ્રત રાખવામાં આવે છે. ભગવાન ગણેશની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ફાલ્ગુન માસના શુક્લ પક્ષની ચર્તુર્થી એટલે કે વિનાયક ચર્તુર્થી 13 માર્ચ બુધવારના રોજ છે. માન્યતા છે કે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવાથી દરેક દુખ દર્દમાંથી છુટકારો મળે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વખતે વિનાયક ચતુર્થી પર ઘણા શુભ યોગનો સંયોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં ગણેશજીની પૂજા કરવાથી અનેકગણું ફળ મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bank Jobs: મોટા પગારની નોકરી ઇચ્છતા લોકો માટે સોનેરી તક, ચૂકશો તો પસ્તાશો
Bajaj CNG Bike ઘટાડી દેશે 50-65% પેટ્રોલ ખર્ચ, જાણો એન્જીનથી માંડીને તમામ ફીચર્સ


વિનાયક ચતુર્થી 2024 તિથિ
હિંદુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 13 માર્ચના રોજ સવારે 2:33 વાગ્યાથી શરૂ થાય છે અને 14 માર્ચના રોજ સવારે 1:26 વાગ્યે સમાપ્ત થાય છે. દયા તિથિના આધારે વિનાયક ચતુર્થી વ્રત 13 માર્ચે છે. ફાલ્ગુન ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાનો શુભ સમય 13 માર્ચે સવારે 11:06 થી બપોરે 01:33 સુધીનો છે. જ્યારે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રોદયનો સમય 13 માર્ચે સવારે 08:22 કલાકે અને ચંદ્રાસ્તનો સમય રાત્રે 09:58 કલાકે રહેશે.


12 વર્ષ બાદ ગુરૂ અને સૂર્યનું થશે મહામિલન, આ 3 રાશિઓના શરૂ થશે Golden Days
Holi 2024: હોળી પર 100 વર્ષ બાદ લાગશે ચંદ્ર ગ્રહણ, 3 રાશિઓનો ભાગ્યોદયનો પ્રબળ યોગ


વિનાયક ચતુર્થી પર શુભ યોગ
માર્ચ મહિનામાં ગણેશ ચતુર્થીના દિવસે અનેક શુભ સંયોગો સર્જાઇ રહ્યા છે. આ ગણેશ ચતુર્થી 13 માર્ચ બુધવારે છે. બુધવાર માત્ર ભગવાન ગણેશને સમર્પિત છે. આ રીતે બુધવારે આવતી ચતુર્થી તિથિ બેવડો લાભ આપે છે. આ ઉપરાંત 13 માર્ચે સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ અને ઈન્દ્ર યોગ પણ રચાઈ રહ્યા છે. રવિ યોગ સવારે 06:33 થી સાંજના 06:24 સુધી છે. જ્યારે ઈન્દ્ર યોગ સવારથી મોડી રાત સુધી 12.49 વાગ્યા સુધી છે. આ સાથે સવારે 6.41 સુધી અમૃત સિદ્ધિ યોગ છે. આ યોગોમાં ગણેશજીની પૂજા કરવાથી અપાર લાભ મળે છે.


No Smoking Day: જો તમે બીડી-સિગરેટના બંધાણી છો? આટલું કરશો તો ફેફસાં રહેશે હેલ્ધી
SBI ગ્રાહકોના દિવસો બદલાયા, હવે આ 5 FD માં પૈસા રોકશો તો મળશે 7.9% વ્યાજ


ગણેશ પૂજા વિધિ
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિ પ્રમાણે કરવી જોઈએ. આ સાથે ગણેશ ચતુર્થીનું વ્રત પણ રાખવું જોઈએ. આ માટે વિનાયક ચતુર્થીના દિવસે સવારે સ્નાન કરો અને પીળા કે લાલ રંગના વસ્ત્રો પહેરો. પછી ભગવાનનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ લો.  ત્યારબાદ લાકડાની ચોકડી પર લાલ અથવા પીળા રંગનું કપડું ફેલાવો અને ભગવાન ગણેશની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરો. ત્યારબાદ ગણપતિ બાપ્પાને જળ, ફૂલ, માળા, દુર્વા, અક્ષત, સિંદૂર, ચંદન અને પવિત્ર દોરો અર્પણ કરો. મોદક, બૂંદીના લાડુ અને મોસમીનો ભોગ ચઢાવો. ઘીનો દીવો પ્રગટાવો. ગણેશ ચાલીસા વાંચો. ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરો. વ્રત કથાનું વાંચન કરો અને પછી અંતે આરતી કરો. ચંદ્ર દર્શન બાદ જ વ્રતના પારણા કરો. 


વિદેશમાં ભણવા સરકાર આપે છે 15 લાખની લોન, જાણો શું જોઈશે પુરાવા અને ક્યાં કરશો અરજી
ઘરે દીકરી જન્મે તો સરકાર કરે છે 1.11 લાખ રૂપિયાનો ચાંદલો, જાણો કઈ તમે લઈ શકો છો લાભ


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.) 


આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાવ, સરકારની આ સ્કીમમાં વગર ગેરંટીએ મળે છે રૂપિયા!
આ આંગળીમાં પહેરો ચાંદીની રીંગ, Health અને Wealth બંનેમાં થશે ફાયદો, મળશે અપાર સફળતા